Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

  • બુથના કાર્યકરનું પાર્ટીમાં સૌથી વધુ મહત્ત્વઃ મારો બુથ સૌથી મજબુત બુથ અભિયાનને વેગ આપવા પણ હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04
દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીના સંદર્ભમાં સેલવાસ ખાતે આવેલા કેન્‍દ્રીય રેલવે મંત્રી અને પ્રદેશ ભાજપના ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્‍ણવે આજે કરાડ ગ્રામ પંચાયતના બુથ નં.204માં આયોજીત બુથ સંમેલન અને ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આજના આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત ભાજપના બુથ કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની તસવીર ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ભાજપના ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્‍ણવેકાર્યકર્તાઓને પનારો ચડાવતા જણાવ્‍યું હતું કે, જીવનમાં કોઈપણ કામ નાનું અથવા મોટું નથી હોતું. પ્રધાનમંત્રી પોતાને ચાયવાલા તરીકેની ઓળખ આપતા અચકાતા નથી. તમે દરેક લોકો બુથના કાર્યકર્તા છો. એટલે કે, પાર્ટીનો પાયો તમારી ખાંધ ઉપર છે. દરેક મંત્રી કે મોટા નેતા સૌથી પહેલાં બુથના કાર્યકર્તા છે અને આપણી પાર્ટીએ મારો બુથ સૌથી મજબુત અભિયાન સફળતાપૂર્વક ચલાવ્‍યું હતું.
શ્રી અશ્વિની વૈષ્‍ણવે દરેકનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે તમે મને ‘ચાય પર ચર્ચા’ માટે બોલાવ્‍યો અને પેટા ચૂંટણીમાં ભાજપના કમળને ખિલવવું આ એક જ લક્ષ હોવું જોઈએ એવી સલાહ પણ આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવમાં 61મો મુક્‍તિ દિવસ ઉજવાયો : કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે ધ્‍વજારોહણ કરાયું: દીવવાસીઓના સુખ, સમળદ્ધિ અને શાંતિ માટે કરેલી શુભકામનાઓ

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment