March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પોલીસ દ્વારા ડીડ મોબાઈલ એપ લોન્ચ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાનહમાં લોકસભાની પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાના પાલન માટે વિવિધ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા અને પ્રસાશનિક અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામા આવી રહી છે. જેની જાણકારી લોકો સુધી પહોંચે તેમજ ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓને સાચી જાણકારી મળે એ માટે દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસ વિભાગ દ્વારા ડીડ મોબાઈલ એપ્‍લીકેશન લોન્‍ચિંગ કરવામા આવી છે.
આ એપ સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીએ જણાવ્‍યું હતું કે, આ એપમાં આદર્શ આચારસંહિતા દરમ્‍યાન કેટલા રોકડા રૂપિયા સીઝ કરવામા આવ્‍યા, કેટલા લીટર દારૂ સીઝ કરવામા આવ્‍યું એની સાથે ચૂંટણી સંદર્ભે અન્‍ય ફરિયાદો પ્રાપ્ત થઈ છે, સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા કરવામા આવેલ કાર્યવાહી તેની જાણકારી ઉપલબ્‍ધ કરવામા આવશે. જેના પાસે યુઝર અને પાસવર્ડ રહેશે તેઓ જ આ ડીડ એપને ઓપરેટ કરી શકશે.
કલેકટર અને ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિનહાસે જણાવ્‍યું હતું કે જિલ્લા પ્રશાસનને આદેશ આપવામા આવ્‍યો છે કે આદર્શ આચારસંહિતા દરેકને સમાન લાગુ થાય છે ભલે એસરકારી કર્મચારી હોય કે ખાનગી સંસ્‍થામા કામ કરતો કર્મચારી હોય કે સામાન્‍ય નાગરિક કેમ ના હોય. ડો.રાકેશ મિન્‍હાસે વધુમાં જણાવ્‍યું હતું કે, આદર્શ આચારસંહિતાનું પાલન કરવા માટે દરેક ગાડીઓની તપાસ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવશે. જો ખાલી એમ્‍બ્‍યુલન્‍સ પણ જતી જોવા મળશે તો એને પણ ચેક કરવામા આવશે.
કેશ લઈને જતી બેંકની ગાડીઓએ પણ તપાસ કરવામા આવશે, ચૂંટણીમા ફરજ બજાવનાર અધિકારીઓ પણ ગાડીઓ ચેક કરાવશે, કે જેથી આદર્શ આચારસંહિતાનું પાલન સમાનરૂપે થઈ શકે.
આ અવસરે જનરલ ઓબ્‍ઝર્વર શ્રી યોગેશકુમાર આઈએએસ, પોલીસ ઓબ્‍ઝર્વર શ્રી ભંવરલાલ મીના આઇપીએસ, એક્‍સ્‍પેન્‍ડિચર ઓબ્‍ઝર્વર શ્રી હિવાસે અનુપ સદાશિવ, કલેકટર અને ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસ, પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, આરડીસી ચાર્મી પારેખ સહિત પોલીસ સ્‍ટાફ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

દિલ્‍હી રાજપથ પર પરેડનું નેતૃત્‍વ કરનાર દીવની કુ. સિદ્ધિ રમેશ બારિયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

Leave a Comment