Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘સતર્કતા જાગળતિ સપ્તાહ-2021′ પર સરકારી કર્મચારીઓને પ્રશાસકશ્રીના સલાહકાર એ.કે.સિંઘે અખંડિતતાના લેવડાવેલા શપથઃ પ્રદેશમાં સતર્કતા સપ્તાહનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દમણમાં તા. 26/10/2021 થી 01/11/2021 સુધી ઉજવવામાં આવનાર ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-ર0ર1′ નિમિત્તે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી એ.કે.સિંઘે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓને અખંડિતતાના શપથ લેવડાવ્‍યા હતા.
આ અવસરે ડીઆઈજીપી, સચિવ (આરોગ્‍ય), નાણાં સચિવ, સચિવ (પીડબલ્‍યુડી), નિયામક-કમ-સંયુક્‍ત સચિવ (વિજિલન્‍સ) અને સચિવાલયના કર્મચારીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ વર્ષે ‘સતર્કતા જાગૃતિસપ્તાહ-ર0ર1’ની થીમ સ્‍વતંત્રતા ભારત એટ 75 અખંડિતતા સાથે સ્‍વનિર્ભરતાનો છે. આ સપ્તાહ દરમિયાન તકેદારી વિભાગે ભ્રષ્‍ટાચાર સામે જનતામાં જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓમાં માટે પેઈન્‍ટિંગ અને સ્‍લોગન સ્‍પર્ધાઓ અને સરકારી કર્મચારીઓ માટે નિબંધ સ્‍પર્ધાનું આયોજન કર્યુ છે. તમામ વિજેતાઓને રોકડ ઈનામોનું વિતરણ કરવામાં આવશે.
તા.26/10/2021થી 01/11/2021 સુધી તકેદારી જાગળતિ સપ્તાહ, 2021 દરમિયાન, નાગરિકો https://pledge.cvc.nic.in પર ઑનલાઇન અખંડિતતાની પ્રતિજ્ઞા લઈ શકે છે.

Related posts

દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ દ્વારા હવેલી ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે ‘મુંબઈ યુનિવર્સિટી ઝોન – II ઈન્‍ટરકોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment