April 19, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

કિલવણી નાકા સર્કલને જનનાયક બિરસા મુંડા ચોક જાહેર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને કરાયેલી દરખાસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
આજે ‘આદિવાસી એકતા પરિષદ’ના નેજા હેઠળ સેલવાસના કિલવણી નાકા ખાતે જનનાયક બિરસા મુંડા ચોકમાં જન નાયકની પ્રતિમા લગાવી ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું અને આ ચોકનું નામકરણ જન નાયક શ્રી બિરસા મુંડા ચોક તરીકે જાહેર કરવા સંઘપ્રદેશના પ્રશાસક સમક્ષ દરખાસ્‍ત રજૂ કરવાનું પણ ઠરાવવામાં આવ્‍યું હતું.
આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના રરમા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી પ્રભુ ટોકિયા, સંયોજક શ્રી વિનય કુંવરા, શ્રી નાના શિંદે, પ્રમુખ શ્રી રામુ ભાવર, કાર્યકારી પ્રમુખ શ્રી અશોક વળવી, પૂર્વ પ્રમુખ શ્રી જયંતિ કોલા, શ્રી શ્‍યામ ગિંભલ, પંચાયત અને નગર પરિષદ વિસ્‍તરણના તમામ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના સ્‍થાપક મહામંત્રી અને આગેવાન કાર્યકર્તા એવા સ્‍વ. શ્રી જુગલભાઈ પટેલને તેમની પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

vartmanpravah

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment