April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

દારૂ-બિયરની કુલ 6,78,773 નંગ બોટલનો જથ્‍થો નાશ કર્યો : નાશથી ચારે તરફ આલ્‍કોહોલની તિવ્ર વાસ ફેલાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્‍ટ પર જિલ્લા પોલીસે વિવિધ 8 પોલીસ સ્‍ટેશનમાં જપ્ત કરાયેલ દારૂનો જથ્‍થો નાશ કર્યો હતો. કાર્યવાહીમાં કુલ 8,37,77,814રૂપિયાનો કુલ 6,78,773 નંગ બોટલ ઉપર પોલીસે રોલરો ફેરવી દારૂનો જથ્‍થો નાશ કર્યો હતો.
વલસાડ જિલ્લો મહારાષ્‍ટ્ર, સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીને જોડતો સરહદી જિલ્લો હોવાથી આ વિસ્‍તારમાં મોટાપાયે દારૂની હેરાફેરી બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. પોલીસ તવાઈ કરી બુટલેગરોની ધરપકડ કરે છે. તેવી પ્રોહિબિશનની કાર્યવાહીમાં જિલ્લાના પારડી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી, ડુંગરા, ઉમરગામ, ભિલાડ, મરીન વાપી રેલવે, ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, વલસાડ સીટી અને રૂરલ મળી પોલીસે 6,08,773 નંગ બોટલો ઉપર રોલર ફેરવ્‍યુ હતું. કુલ 8,37,77,814 રૂપિયાના માતબર કિંમતનો દારૂનો જથ્‍થો આજે નાશ કરાયો હતો. આ જથ્‍થો જિલ્લાના કુલ 13 પોલીસ મથકોનો હતો. તમામ જપ્ત કરાયેલ કરોડો રૂપિયાના દારૂનો જથ્‍થો ટ્રક, છોટા હાથી જેવા વાહનોથી ભિલાડ ચેક પોસ્‍ટ પાસે લાવવામાં આવ્‍યો હતો. જેને જેસીબી ફેરવી નાશ કરાયો. જિલ્લા એસ.ડી.એમ., ડી.વાય.એસ.પી. તમામ 13 પો.સ્‍ટે.ના પી.આઈ. પી.એસ.આઈ. અને પોલીસ કર્મચારીઓ કાર્યવાહીમાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ જથ્‍થો વર્ષ તા.1-11-2023 થી તા.31-10-2024 સુધીનો નાશ કરાયો હતો. નાશ કરવાની કામગીરી દરમિયાન આલ્‍કોહોલની તિવ્ર વાસ ચારે તરફ ફેલાઈ જવા પામી હતી.

Related posts

પંચાયતની વિશેષ ગ્રામસભામાં આટિયાવાડ ગ્રા.પં.ને લોક ભાગીદારીથી કુપોષણ મુક્‍ત બનાવવાનો સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

મહુવા જઈ રહેલ સ્‍વિફટ કારમાં કિકરલા ખાતે આગ લાગતાં બળીને ખાખ થઈ: કારમાં સવાર ચાર વ્‍યક્‍તિઓનો આબાદ બચાવ

vartmanpravah

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્‍થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment