August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

  • મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાના પાંચમા દિવસે ઉત્‍સાહભેર ગણેશ પ્રાગટયની કરવામાં આવેલી ઉજવણી

  • આજે બાર જ્‍યોર્તિંલિંગની કથા-દર્શનનો લ્‍હાવો શ્રોતાઓને મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24
મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલ જાનીએદાનની ગુપ્તતાનો મહિમા વર્ણવતા જણાવ્‍યું હતું કે, ‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” અને દાન કરવું હોય તો કોઈને પુછીને નહીં કરવું પરંતુ પોતાના આત્‍માના અવાજ અનુસાર દાન કરવું જોઈએ.
આજે કથા સ્‍થળે દમણ તથા આજુબાજુ વિસ્‍તારના સુપ્રસિદ્ધ કર્મકાંડી ભૂદેવ નાની દમણના ભીમપોરના રહેવાસી શ્રી ચેતન પંડિત તથા તેમની ટીમનું વ્‍યાસપીઠ ઉપરથી અભિવાદન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ડાભેલના યુવા નેતા શ્રી મયંક પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા
હતા.
આજે શિવ કથા દરમિયાન શ્રી ગણેશજીના જન્‍મોત્‍સવને પણ રંગેચંગે મનાવવામાં આવ્‍યો હતો. આવતી કાલે કથાના છઠ્ઠા દિવસે બાર જ્‍યોર્તિલિંગની કથા દર્શન કરાવાશે.

Related posts

દીવ બંદરે ચોક પર ઉભેલો પર્યટક દરિયામાં ખાબકયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

vartmanpravah

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment