December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

  • મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાના પાંચમા દિવસે ઉત્‍સાહભેર ગણેશ પ્રાગટયની કરવામાં આવેલી ઉજવણી

  • આજે બાર જ્‍યોર્તિંલિંગની કથા-દર્શનનો લ્‍હાવો શ્રોતાઓને મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24
મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલ જાનીએદાનની ગુપ્તતાનો મહિમા વર્ણવતા જણાવ્‍યું હતું કે, ‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” અને દાન કરવું હોય તો કોઈને પુછીને નહીં કરવું પરંતુ પોતાના આત્‍માના અવાજ અનુસાર દાન કરવું જોઈએ.
આજે કથા સ્‍થળે દમણ તથા આજુબાજુ વિસ્‍તારના સુપ્રસિદ્ધ કર્મકાંડી ભૂદેવ નાની દમણના ભીમપોરના રહેવાસી શ્રી ચેતન પંડિત તથા તેમની ટીમનું વ્‍યાસપીઠ ઉપરથી અભિવાદન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ડાભેલના યુવા નેતા શ્રી મયંક પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા
હતા.
આજે શિવ કથા દરમિયાન શ્રી ગણેશજીના જન્‍મોત્‍સવને પણ રંગેચંગે મનાવવામાં આવ્‍યો હતો. આવતી કાલે કથાના છઠ્ઠા દિવસે બાર જ્‍યોર્તિલિંગની કથા દર્શન કરાવાશે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડીને આરોગ્‍ય સૂચક આંકના આધારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મળેલું પ્રથમ સ્‍થાન

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

vartmanpravah

Leave a Comment