January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા તાલુકાની કુલ-69 જેટલી ગ્રામપંચાયતો થશે

વિભાજીત આ બે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ હાલે મોકૂફ રહેવાની શકયતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.25
ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા હવે તાલુકાની કુલ-69 જેટલી ગ્રામ પંચાયતો થશે. વિભાજીત આ બે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ હાલે મોકૂફ રહેવાની શકયતા જણાઈ રહી છે.
ચીખલી તાલુકાનું રૂમલા ગામ વિસ્‍તાર અને વસ્‍તીની દૃષ્ટિએ તાલુકાનું સૌથી મોટું ગામ છે અને 2011ની વસ્‍તી ગણતરી મુજબ આ ગામની કુલ વસ્‍તી 10624 જેટલી છે અને ગામમાં મુખ્‍ય નવ ફળીયા સાથે 14-જેટલા વોર્ડો છે.
ગામના વિભાજનની માંગ ઉપડતા હાલે પંચાયત વિભાગ દ્વારા રૂમલા ગામનું વિભાજનનો હુકમ કરવામાં આવતા હવે નવી આંબાપાડા ગ્રામ પંચાયત અમલમાં આવી છે. રૂમલા ગ્રામ પંચાયતમાં હવે 7573 જેટલી વસ્‍તીનો સમાવેશ થશે. જ્‍યારે આંબાપાડા ગામમાં આંબાપાડા, મંગલપાડા અને ચીકારપાડા એમ ત્રણ જેટલા ફળીયાનો સમાવેશ સાથે 3051ની વસ્‍તી રહેશે.
તાલુકાના સિયાદા ગામમાંથી પ્રધાનપાડા નવું ગામ અમલમાં આવશે. સિયાદા ગામની 5245 જેટલી વસ્‍તી પૈકી નવી પ્રધાનપાડા ગ્રામ પંચાયતમાં 2219જેટલી વસ્‍તીનો સમાવેશ કરાયો છે. ત્‍યારે સિયાદા ગામમાં હવેથી 3026 જેટલી વસ્‍તી રહેશે.
સિયાદા ગ્રામ પંચાયતનો પ્રધાનપાડા વિસ્‍તાર ખરેરા નદીથી ભૌગોલિક રીતે વિભાજીત છે અને ચોમાસા દરમ્‍યાન સિયાદા અને પ્રધાનપાડાને જોડતા ખરેરા નદીના ડૂબાઉ કોઝ-વે પર પાણી ફરી વળતા પ્રધાનપાડાના લોકોએ નાના-મોટા કામ માટે 8 થી 10 કિલો મીટરનો ચકરાવો કાપી સિયાદા આવન-જાવન કરવું પડતું હતું. જેથી લાંબા સમયથી પ્રધાનપાડા સ્‍વતંત્ર ગ્રામ પંચાયતની માંગ સ્‍થાનિકો માંથી ઉઠી હતી.
બે નવી આંબાપાડા અને પ્રધાનપાડા ગ્રામ પંચાયત અમલમાં આવતા હવે તાલુકાની કુલ 69-જેટલી ગ્રામ પંચાયતો થવા પામી છે.
રૂમલા સિયાદાના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.જોકે આ ગામોમાં સરપંચની ચૂંટણી લડવા થનગની રહેલા મુરતિયાઓની ગણતરી ખોટી પડવા સાથે નવા સમીકરણો રચાશે. ત્‍યારે હાલે તો મૂરતીયાઓની મનની મન માંજ રહી જવા પામી છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી પાંચ-છ માસ બાદ યોજવાની શકયતા જણાઈ રહી છે.

Related posts

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

vartmanpravah

તાલુકા કક્ષાનો 73 મો વનમહોત્‍સ.વ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તો પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂ લ ખાતે યોજાયો

vartmanpravah

પરિયારી ખાતે સરકારી હાઈસ્‍કૂલના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ. પ્રાથમિક શાળાના સહયોગથી 61માં મુક્‍તિ દિવસની આનંદભેર થયેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્‍જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્‍યો

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

vartmanpravah

Leave a Comment