Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

દમણ, તા.28:
મોટી દમણની જૂની દીવાદાંડીના કાંગરા ખરી ચૂકયા હતાં, કોઈની પણ તેના ઉપર નજર નહીં હતી તેમાં સંઘપ્રદેશ પ્રશાસનની ફૂંકેલા નવા પ્રાણથી આજે જર્જરીત અને રદબાતલ થયેલ જૂની દીવાદાંડીની જગ્‍યા નવપલ્લવિત બની છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત ઓટ્‍મન મેળા (શરદ મેળા)એ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મનમોહી લીધું છે.
24 મી થી શરૂ થયેલા ઓટ્‍મન(શરદ) મેળાનો આજે અંતિમ દિવસ હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં હજ્‍જારો લોકોએ લાભ લીધો છે અને આજે રજાના રવિવારના દિવસે ખાસ કરીને દમણના સ્‍થાનિકો પોતાના પરિવાર સાથે ઉમટી પડયા હતાં. અહીં ઘણાએ ખરીદદારી કરી તો કેટલાકે ખાણીપીણીની પણ મજા માણી અને કેટલાકે પોતાના પોર્ટટ્રેઈટ પણ બનાવ્‍યો. અને લગભગ દરેકે સેલ્‍ફી પાડી અને મોબાઈલના કેમેરામાં સહપરિવાર સાથે જૂની દીવાદાંડીમાં આવેલ વસંતના નજારાને પણ કેદ કર્યો.
પોર્ટુગીઝ સલ્‍તનતના સમયથી આ મોટી દમણની જૂની દીવાદાંડી અડીખમ છે. ટેકનોલોજીના વિકાસ સાથે બાજુમાં નવી દીવાદાંડી ઉભી થતાં ઊંડા દરિયામાં મચ્‍છીમારી કરતા માછીમારો માટે બંદર હોવાનું એક માત્ર દિશાસૂચક રહેલી આ દીવાદાંડી આમ તો અપ્રસ્‍તુત બનીચૂકી હતી અને આજુબાજુની જગ્‍યા પણ વેરાન હતી અને ઠેરઠેર ઘાસચારો ઊગી નીકળતા અહીં આવતા લોકો ડરે એવી સ્‍થિતિ હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખ નજર એના પર પડતા આજે મોટી દમણ લાઈટ હાઉસની શકલ અને સૂરત બદલાઈ ચૂકી છે.

Related posts

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે મલવાડા ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ ઈનોવા સાથે એકની ધરપકડ કરી : રૂા.6.83 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

vartmanpravah

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

Leave a Comment