Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ પંચાયત માર્કેટમાં પાલિકાનું ભાડુ નહી ભરનાર દુકાનદારોની 19 દુકાનોને સીલ કરવામા આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસ નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત પંચાયત માર્કેટના દુકાનદારોનું ભાડુ ભરવાનું બાકી હોય તેવા લોકો સામે સેલવાસ પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓએ પોલીસ ટીમના સહયોગ દ્વારા દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સેલવાસ નગરપાલિકા દ્વારા દાદરા નગર હવેલી નગરપાલિકા અધિનિયમ 2004ની ધારા 142 મુજબ આ દુકાનદારોને નોટિસ આપવામા આવી હતી. જેમાં તેઓને 15 દિવસની અંદર પોતાની બાકી ભાડાની રકમ ભરી જવા માટે નોટિસ આપવામા આવી હોવા છતાં પણ કેટલીક દુકાનદારોએ ભાડાની રકમ જમા નહી કરાવી હતી.
ત્‍યારબાદ ધારા143, દાનહ નગર પાલિકા અધિનિયમ 2004 મુજબ દરેક ભાડુ નહી ભરનારના નામ પર ફોરમ ઓફ વોરંટ 25મી નવેમ્‍બરના રોજ જારી કરવામા આવ્‍યો હતો. જે અંતર્ગત પાલિકા દ્વારા આવી 19 દુકાનોને સીલ કરવામા આવી છે.

Related posts

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને સાકાર કરતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

વાપી ચલા ચોકી ફળીયામાં સાયકલ ચોર ઝડપાયા

vartmanpravah

લોહી પૂરું પાડનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઈમર્જન્‍સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્‍યક્‍તિઓનો માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

Leave a Comment