Vartman Pravah
Breaking Newsવલસાડ

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

વિદેશથી આવેલામાં સિંગાપુર-2, યુ.કે.-6, સાઉથ આફ્રિકા-2, બ્રાઝિલ-1 અને બાંગ્‍લાદેશના 1 મળી કુલ 12 મુસાફરનો સમાવેશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02
કોરોનાની બીજી લહેર હજુ પણ ચાલી રહી છે ત્‍યાં ઓમિક્રોન વેરિઅન્‍ટ નામનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે ત્‍યારે તેની સાવચેતી માટે વલસાડ જિલ્લામાં પરદેશથી આવેલા 12 જેટલા મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્‍ટ કરીને હોમ ક્‍વોરોન્‍ટાઈન કરવામાં આવ્‍યા છે.
ઓમિક્રોન વેરીઅન્‍ટ હાલમાં 11 હાઈરિસ્‍ક દેશોમાં જાહેર થયો છે તેથી ગુજરાત સરકારે તાત્‍કાલિક પરદેશથી આવતા મુસાફરો માટે સાવચેતી માટે નવી ગાઈડલાઈન અમલ કરી છે તે મુજબ વલસાડ જિલ્લામાં 12જેટલા મુસાફરો વિવિધ દેશમાંથી જિલ્લામાં આવ્‍યા છે. તેમાં સિંગાપુરથી-2, યુ.કે.થી-6, સાઉથ આફ્રિકાથી-2, બ્રાઝિલથી-1 અને બાંગ્‍લાદેશથી-1 મળી કુલ 12 મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્‍ટ કરીને હોમ ક્‍વોરોન્‍ટાઈન કરાયા છે.
તેમજ આઠમા દિવસે ફરી ટેસ્‍ટ બાદ ફરી સેમ્‍પલ લેવાશે અને નેગેટીવ રિપોર્ટ આવે તો પણ વધુ સાત દિવસ ઓબઝર્વેશનમાં રખાશે. કુલ 14 દિવસનું હોમ ક્‍વોરોન્‍ટાઈનનો ચુસ્‍ત અમલ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related posts

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોના ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બની

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ઝળકેલી સુષુપ્ત પ્રતિભાઓ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

દીવ જિલ્લાના કલેક્‍ટર બનતા ભાનુ પ્રભાઃ દાનહના કલેક્‍ટરની જવાબદારી પ્રિયાંક કિશોરના શીરે

vartmanpravah

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

vartmanpravah

Leave a Comment