Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

કોહિનુર હોટલના માલિક દ્વારા 36000 સ્‍કે.મીટર સરકારી જમીન પર દબાણ કરી પાર્ટી પ્‍લોટ, સ્‍ટાફ ક્‍વાર્ટર વગેરે બનાવાયા હતા

(ફૈઝાન સિદ્દી દ્વારા)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ,તા.06
દીવ ની પ્રખ્‍યાત હોટલ કોહિનૂર ના માલિક દ્વારા 36 હજાર સ્‍ક્‍વેર મીટર સરકારી જમીનનું દબાણ કરેલ જેને આજે દૂર કરી દીવ પ્રશાસને પઝેશન લઈ લીધુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવના કલેકટર શ્રીમતી સલોની રાયના આદેશ અને મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજાના નેતળત્‍વમાં આજે દીવની કોહિનૂર હોટલનું પઝેસન લીધુ અને ગેરકાયદેસર બાંધકામને હટાવવામા આવ્‍યું હતું.
આજે સવારથી પોલીસ બંદોબસ્‍ત સાથે સીટી સર્વે તથા મામલતદારનાસ્‍ટાફે કોહિનૂર હોટલ પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કલેકટર શ્રીમતી સલોની રાય, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી હરમિન્‍દર સિહ, મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા ઉપસ્‍થિત રહ્યા હતા. લગભગ એક વર્ષથી ફરીયાદના આધારે કોહિનૂરની પાછળની તથા આસપાસની જગ્‍યાનો કેસ દીવ કલેકટરમાં ચાલતો હતો. જેનો ચૂકાદો આવતા આજે સવારથી જ કોહિનૂરની આસપાસ તથા પાછળની જમીનની માપણી કરવામાં આવી હતી. ત્‍યારબાદ 36 હજાર સ્‍ક્‍વેર મીટર જેટલી જમીન પર ગેરકાનૂની બાંધકામ જોવા મળ્‍યું હતુ. જેમાં પાર્ટી પ્‍લોટ, સ્‍ટાફ કવાર્ટર, તથા અન્‍ય ખૂલ્લી જગ્‍યા પર બનાવેલ દિવાલ વગેરેને આજે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્‍યું હતું.
કોહિનૂર હોટલના માલિક યતિન ફુગ્રો દ્વારા દબાણ કરેલ જમીન પર બુલડોઝરના માધ્‍યમથી ગેરકાયદે બનાવેલ બાંધકામને દુર કરવામાં આવ્‍યું હતું. દીવની પ્રખ્‍યાત હોટલોમાંની આ એક હોટલ છે જેમાં નામી રાજનેતાઓ અને ફિલ્‍મ અભિનેતા-અભિનેત્રીઓ પણ રોકાણ કરી ચૂકયા છે, કોહિનૂરની ફરતી સાઈડ 36000 સ્‍ક્‍વેર મીટર જમીન હતી જે ક્‍લાસ ટુ છે અને આ જમીનના દસ ટુકડા એટલે કે 36 હજાર સ્‍ક્‍વેર મીટર ગેરકાયદે કોહિનૂર અને કલ્‍પના ડિસલરીના નામે કરવામાં આવી હતી. જેનું આજે પઝેસન લઈ સરકારે તેના નામ પર કરી હતી.

Related posts

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

કલગામના ગ્રામજનો દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

Leave a Comment