August 31, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08
તા.8મી ડીસેમ્‍બરને ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની ઉજવણી મનોદિવ્‍યાંગ બાળકો પ્રત્‍યે લોકજાગૃતિ લાવવાનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. આજે સવારે 10:30 કલાકે સંસ્‍થાના હોલમાં કોરોના ગાઈડ-લાઈનના પાલન સાથે આજનો કાર્યક્રમ સાદગી પૂર્વક ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને અને સ્‍ટાફને ઠંડીનાં સ્‍વેટરનું વિતરણ કેવડી નિવાસી પ્રેમી ભુવન પરીવારના શ્રી નીલેશભાઈ વસરામભાઈ તરફથી કરવામાં આવ્‍યું હતુ. આ કાર્યક્રમમાં સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકો?, તેમના વાલીઓ, સ્‍ટાફગણ અને કારોબારી કમિટીનાં સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન સેક્રેટરી શ્રી ઉસ્‍માનભાઈ વોરા તરફથી, આભારવિધિ શ્રી કિશોરભાઈ કાપડિયા તરફથી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનહરભાઈ સોલંકી તરફથી કરવામાં આવ્‍યુંહતું. વાત્‍સલ્‍ય સંસ્‍થાની કારોબારી કમિટી, મનોદિવ્‍યાંગ બાળકોને ઠંડીનાં સ્‍વેટરનું વિતરણ કરવા બદલ કેવડી નિવાસી પ્રેમી ભુવન પરિવારના શ્રી નિલેશભાઈ વસરામભાઈનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા ‘એક તારીખ, એક કલાક’, વલસાડ જિલ્લામાં 1લી ઓક્‍ટોબરે મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે

vartmanpravah

નાનાપોંઢા પો.સ્‍ટે.માં દારૂના ગુનામાં કાર માલિક મહિલાનું નામ નહી ખોલવા મામલે દોઢ લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો

vartmanpravah

Leave a Comment