Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 12
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે વિક્રમ સંવંત 2078ના માગશર સુદ 10ને સોમવાર તા. 13/12/2021ના રોજ જય ભીખી માતા તથા દુધી માતાના નવનિર્મિત મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં સવારે 8.30 વાગ્‍યે પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્‍યારબાદ સવારે11.45 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમ યોજાશે ત્‍યારબાદ 12.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરાંત સાથે 8.30 કલાકે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજ મ્‍યુઝીકના સથવારે કલાકાર મનીષા વસાવા પોતાની મધુર વાણીમાં શ્રોતા સમક્ષ ભજન રજૂ કરશે. આ શુભ પ્રસંગે સર્વ ભાવિક ભક્‍તોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત વરસાદને પગલે પોલ્‍ટ્રી ફાર્મ, ઘર અને શાળાની દિવાલ ધરાશાયી

vartmanpravah

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

Leave a Comment