Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

નવા બિલ મુજબ નોટરી એડવોકેટ 15 વર્ષ થઈ ગયા હોય તેઓ પ્રેક્‍ટિસ નહી કરી શકે તેનો વકીલોનો વિરોધ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
ભારત સરકાર દ્વારા આગામી સમયે નવિન નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલ લાવી રહી છે. આ બિલની કેટલીક જોગવાઈ માટે વલસાડ જિલ્લાના વકીલોએ વિરોધ દર્શાવવા માટે આજે સોમવારે શહેરમાં રેલી યોજીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ જિલ્લામાં નોટરી તરીકે પ્રેક્‍ટિસ કરી રહેલા વકીલોએ સરકારના નવા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલ અંગે વિરોધ દર્શાવ્‍યો છે. કારણકે આ બિલમાં એવી એક સુચિત જોગવાઈ કરવામાં આવી રહી છે કે જે વકીલોને નોટરી પ્રેક્‍ટિસના 15 વર્ષ પુરા કર્યા હોય તેઓ આગળ પ્રેક્‍ટિસ કરી શકશે નહીં. જો આ બિલનો અમલ થાય તો ગુજરાત અને દેશમાં હજારો વકીલો બેકાર બની જાય. આ માટે સરકારે તા.15-12-2021 સુધી અભિપ્રાય મંગાવ્‍યા છે તે મુજબ વકીલોએ ચાર્જ નવા બિલના વિરોધમાં અભિપ્રાય આપતુ આવેદનપત્ર કલેક્‍ટર વલસાડને સુપરત કર્યું હતું. આગળની રણનિતી ગુજરાત નોટરી એસોસિએશન જણાવશે તે મુજબના કાર્યક્રમો આપવામાં આવશે તેવુંઅગ્રણી વકીલોએ જણાવ્‍યું હતું.

Related posts

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે 4 દિવસીય યોગ મહોત્‍સવનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી

vartmanpravah

Leave a Comment