Vartman Pravah
Breaking Newsવલસાડ

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

વલસાડ તા.૧૬:

કોરોનાની મહામારીમાં કોરોના જેવા ગંભીર રોગથી બચવા હાલ કોવિડ-૧૯ ૨સીક૨ણ જ એક માત્ર ઉત્તમ ઉપાય છે. કોરોના સામે લડવાની શક્‍તિમાં વધારો કરી શકાય તે માટે ૧૮ કે તેથી વધુ ઉંમરનાં તમામ નાગરિકોએ કોરોના વિરોધી રસી લેવી જરૂરી છે. હાલની સ્‍થિતિએ વલસાડ જિલ્લામાં પ્રથમ ડોઝ તથા બીજા ડોઝની કામગીરીમાં ઉત્તરોતર વધારો થઇ રહયો છે.

તા. ૧૮/૧૨/૨૦૨૧ નાં રોજ કપરાડા તાલુકામાં કોરોના સુરક્ષાચક્ર સલામત કરવા ખાસ કોવિશિલ્‍ડ અને કોવેક્‍સીન રસીક૨ણ મેગા ડ્રાઇવ કરવાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં પ્રથમ ડોઝનાં બાકી રહેલા તમામ તથા જે વ્‍યક્‍તિએ કોવેક્‍સીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૨૮ દિવસ પુર્ણ થયા હોય તેમજ કોવિશિલ્‍ડનો પ્રથમ ડોઝ લીધો હોય અને ૮૪ દિવસ પુર્ણ થયા તેવા લાભાર્થીઓને લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્‍ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. આ મેગા ડ્રાઇવ માટે કપરાડા તાલુકામાં કોવિડ -૧૯ ૨સીક૨ણ ૨૫ હજારથી વધુ લાભાર્થીઓ માટે ડોઝ ઉપલબ્‍ધ કરાવાયો છે.

આ રસીક૨ણ માટે લોકોમાં જાગૃતતા લાવી રસીકરણનો વ્‍યાપ વધારવા માટે પંચાયત વિભાગ, પ્રાથમિક શિક્ષણ, આઇ.સી.ડી.એસ. તેમજ ખાનગી હોસ્‍પિટલો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ પણ આ મેગા ડ્રાઇવમાં જોડાશે. વધુમાં વલસાડ ખાતે આવેલી કંપનીઓમાં કોવિડ-૧૯ રસીક૨ણના બીજા ડોઝ માટે વધુ કર્મચારીઓ બાકી હોય અને તેમને કંપની ખાતે રસીકરણ કેન્‍દ્રની જરૂર જણાય તો વલસાડ જિલ્લા આરોગ્‍ય તંત્રનો સંપર્ક સાધવા જણાવાયું છે.

તા. ૧૮/૧૨/૨૦૨૧ને શનિવારના રોજ કપરાડા તાલુકાનાં અંદાજીત ૭૫ થી વધુ કોવિડ-૧૯ ૨સીક૨ણ કેન્‍દ્રો જેવા કે, સબસેન્‍ટરો, પ્રા.આ.કેન્‍દ્રો, આંગણવાડી કેન્‍દ્રો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ૨૫ હજારથી વધુ લાભાર્થીઓને કોવિડ-૧૯ ૨સીક૨ણથી સુરક્ષિત ક૨વાનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય, પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લઇ પોતે, પોતાના પરિવા૨ તથા સમાજને સુરક્ષિત કરવા માટે જિલ્લા કલેક્‍ટર તથા જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા અપીલ ક૨વામાં આવી છે.

ઉપરોક્‍ત કોવિડ- ૧૯ વેક્‍સિનેશન સેન્‍ટરોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની વેબ સાઇટ ઉપર પણ ઉપલબ્‍ધ કરવામાં આવી હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ સંજીવ તિવારીએ પ્રમુખ પદના કાર્યકાળના બે વર્ષ પછી હસતાં હસતાં સીટ ખાલી કરવા કરેલી માર્મિક ટકોર

vartmanpravah

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment