Vartman Pravah
Breaking Newsવાપી

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

આગ લાગવાનું કારણ ચૂંટણી અદાવત હોવાનું ચર્ચામાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે રાત્રે એક દુકાનમાં આગ લાગતા દુકાનનો તમામ સરસામાન બળીને રાખ થઈ જવા પામ્‍યો હતો. મધરાતે લાગેલી આગને લઈને ગામમાં દોડધામ મચી જવા પામી હતી.
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે મધરાતે અનાજ કિરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દુકાનનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે દુકાન બંધ હોવાથી અન્‍ય જાન હાની થવા પામી નહોતી. રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી ગામમાં ચર્ચાઓ એવી પણ ચાલી રહી હતી કે ચૂંટણી અદાવતમાં કોઈ ઈસમોએ દુકાનમાં આગ લગાડી હશે. કારણ જે હોય તે પણ ઘટના સ્‍થળે ફાયર બ્રિગેડ આવ્‍યા બાદ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ કરી લેવાયો હતો.

Related posts

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વલસાડમાં ભીખ માંગવા બાળકોને લઈ આવેલી છ મહિલાઓ સિફતથી ઘરમાં ઘુસી 3 લાખના ઘરેણાં ચોરી ગઈ

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ એ.પી.અબ્‍દુલ્લા કુટ્ટીએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment