Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

હિન્‍દુ મુસ્‍લીમ શીખ ઈસાઈ શાકાહારી બનીજાવો ભાઈ : જય ગુરુદેવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ રાજ્‍ય મુખ્‍યાલય પર પરમપુજ્‍ય જય બાબા ગુરુદેવજી મહારાજ દ્વારા શાકાહારી સમ્‍મેલન આયોજીત કરવામા આવ્‍યું હતું.જેમા માંસાહારી અને વ્‍યસન કરવાના દુષ્‍પરિણામ અંગે જાણકારી આપી સાથે શાકાહારી બની જીવો પર દયાભાવની પ્રેરણા પણ આપવામા આવી.
માતળ અને પિતળ ભક્‍તિ પર પણ ભાર આપવામા આવ્‍યો આ આધુનિક યુગમા બાળકો માતા પિતા દ્વારા આપવામા આવતા આદેશો નહિ માને છે અને તેઓની અવહેલના કરે છે. જેનું મુખ્‍ય કારણ વ્‍યસન અને તામસિક ભોજન મુખ્‍ય કારણ છે.ગુરુદેવના અનુયાયીઓએ માતાપિતા અને ગુરુને સર્વોપરી બતાવ્‍યા અને એમના બતાવેલા રસ્‍તા પર ચાલવાનો અનુરોધ પણ કર્યો હતા. કન્‍હૈયા ઝાએ બાબાના શબ્‍દોને ફરી દોહરાવ્‍યા હતા અને કહ્યું કે હિન્‍દુ મુસ્‍લીમ શીખ ઈસાઈ શાકાહારી થઇ જાવો. આ કાર્યક્રમમાં ઉપસ્‍થીત લોકોએ તામસિક ભોજન છોડી શાકાહારી બનવાનો પ્રણ લીધો હતો. આ સરાહનીય આયોજન માટે દાનહ સ્‍કાઉટ ગાઈડના યુવા રોવર સભ્‍ય મનીષ ઝા,અજય હરીજન અને એશ્વર્ય ગાંગોડેએ સ્‍મળતિ ભેટ આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
આ અવસરે સેલવાસ વાપી અને દમણના સંગત કન્‍હૈયા ઝા, સેલવાસના અધ્‍યક્ષ કંચન યાદવ, વાપીના રાજેશજેસ્‍વાલ દમણથી રણવીર વિશ્વકર્મા સહિત સ્‍કાઉટ ગાઈડની ટીમ સ્‍થાનિકો ઉપસ્‍થીત રહ્યા હતા.

Related posts

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

ઉમરગામ પાલિકાની જમીન ઉપર ડી.આઈ.એલ.આર દ્વારા માપણી હાથ ધરાતા દબાણકરનારાઓમાં ફફડાટ

vartmanpravah

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment