Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લોકાભિમુખ પહેલ આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘પ્રશાસન ગાંવ કી ઓર’ : મગરવાડા પંચાયત ઘર ખાતે મોટી દમણની તમામ ચારેય ગ્રામ પંચાયતના લોકો માટે યોજાનારી રેવન્‍યુ શિબિર

ગુરુવારે ભીમપોર, કડૈયા, મરવડ અને દુણેઠા ગ્રામ પંચાયત માટે ભીમપોર પંચાયત ઘર તથા શુક્રવારે કચીગામ, વરકુંડ, દાભેલ, આટિયાવાડ અને સોમનાથ ગ્રામ પંચાયત માટે કચીગામપંચાયત ઘર ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.ર1
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વિવિધ સુવિધાઓ ઘર આંગણે કે મોબાઈલ ફોનના ટેરવે મળે એવી વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવી છે. પ્રદેશના લોકોને સરકારી કાર્યાલયનો ધક્કો ખાવો નહી પડે અને તેમના સમય તથા પૈસાની પણ બચત થાય એવા ઉમદા હેતુથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી જિલ્લા પ્રશાસન દ્વારા પ્રદેશમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કડીમાં દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.ર1મીથી ર4મી ડિસેમ્‍બર દરમિયાન ઉજવાય રહેલા ‘સુશાસન સપ્તાહ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આવતી કાલ તા.રરમી ડિસેમ્‍બરથી ર4મી ડિસેમ્‍બર સુધી વિવિધ પંચાયતોમાં પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવાસીઓને સ્‍થળ ઉપર જ વારસાઈ માટે આવેદન, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માટે આવેદન, કાસ્‍ટ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે આવેદન, આધારકાર્ડ, જમીનની માપણી, નક્‍શાની નકલ વગેરે માટે સ્‍થળ ઉપર અરજી કરી શકશે. જેના કારણે ગ્રામવાસીઓને કલેક્‍ટર કાર્યાલય સુધી જવાની જગ્‍યાએ પંચાયતોના ગ્રામવાસીઓ ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમના સ્‍થળેપહોંચી પોતાની જરૂરીયાત સંતોષી શકશે.
આવતી કાલ તા.રરમી ડિસેમ્‍બરના રોજ સવારે 10 :00 વાગ્‍યાથી સાંજના પઃ00 વાગ્‍યા સુધી મગરવાડા પંચાયત ઘર ખાતે મગરવાડા, પટલારા, દમણવાડા અને પરિયારી ગ્રામ પંચાયતના લોકો માટે પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાશે. જ્‍યારે 23મી ડિસેમ્‍બરે ભીમપોર, કડૈયા, મરવડ અને દુણેઠા ગ્રામ પંચાયત માટે ભીમપોર પંચાયત ઘર તથા 24મી ડિસેમ્‍બરે કચીગામ, વરકુંડ, દાભેલ, આટિયાવાડ અને સોમનાથ ગ્રામ પંચાયત માટે કચીગામ પંચાયત ઘર ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા નાયબ કલેક્‍ટર (હે.ક્‍વા) શ્રી મોહિત મિશ્રાએ ગ્રામ્‍ય વિસ્‍તારની જનતાને અપીલ કરી છે.

Related posts

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘દિવાળી’ પર્વની ઉજવણી થઈ

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

Leave a Comment