(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાદરા નગર હવેલી અને દમણ છેલ્લા 24 કલાકમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમા હાલમાં 01સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 5919કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 232 નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ એન્ટિજન 366 નમૂના લેવામા આવેલ જેમાથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ નોંધાયો નથી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામા આવ્યું હતું. જેમાં આજે 1695 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમાં પ્રથમ ડોઝ 404505 અને બીજો ડોઝ 260515 વ્યક્તિઓને આપવામા આવતા કુલ 665020 લોકોને વેક્સીન આપવામા આવી છે.