Vartman Pravah
Breaking Newsવાપી

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

સામાનમાંથી આધારકાર્ડ મળ્‍યાથી મૃતકની ઓળખ થઈ : પરીયા રોડ ઉપર દુકાન ચલાવતા મૃતક નટવરલાલ શર્મા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
‘‘ન જાણ્‍યુ જાનકી નાથે કાલે સવારે શું થાશે” આ યુક્‍તિ આજે બુધવારે ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ઘટેલ અકસ્‍માતની ઘટનામાં સાબિત થઈ હતી.
ઉદવાડા પરીયા રોડ ઉપર ચામુંડા જનરલ સ્‍ટોર્સ નામની દુકાન ચલાવતા નટવરલાલ શર્મા નામનો વેપારી તેમની એક્‍ટીવા નં.જીજે 15 ડીએન 3215 લઈને ધંધાના કામે ધરમપુર જવા આજે સવારે નિકળ્‍યા હતા. નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર કોઈ અજાણ્‍યા વાહન તેમની એક્‍ટીવાને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. આવતા-જતા વાહન ચાલકો પૈકી કોઈએ ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે આવી તેમના સામાનની તપાસ કરતા મળી આવેલ આધારકાર્ડ ઉપરથી ઓળખ થઈ હતી કે મૃતક ઉદવાડાના વેપારી નટવરલાલ શર્મા હતા.

Related posts

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

vartmanpravah

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્ન ઉત્‍સુક યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાયો

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

Leave a Comment