July 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.2ર
સેલવાસ ખાનવેલ રોડ પર સામરવરણી ચાર રસ્‍તા પર ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે જેના કારણે સાઈડના રસ્‍તા પર મોટામોટા ખાડાઓ હોવાને કારણે વારંવાર અકસ્‍માતની ઘટનાઓ બનતી રહે છે એક ઘટનામા દમણનો બાઈક સવાર ત્‍યાંથી પસાર થઇ રહ્યો હતો તે સમયે અચાનક અજાણ્‍યા વાહનચાલકે ટક્કર મારતા બાઈક પરથી નીચે પટકાયો હતો અને એના પેટ પરથી ટાયર ફરી વળતા ઘટનાસ્‍થળ પર જ એનું મોત થયું હતુ.
અમિતસિંગ (ઉ.વ.38) રહેવાસી દમણ જેની પત્‍ની ગર્ભવતી હતી અને એને દમણ મરવડ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી હતી. જ્‍યા માંના પેટમાં જ બાળકનું મોત થઈ ગયું હતું. પરિવારજનોનો આરોપ છે કે અમિતસિંહની પત્‍ની રશ્‍મી સિંહના પેટમાં ઓપરેશન દરમ્‍યાન કચરો રહી જવાને કારણે એની કીડની પર અસર થતા એને મરવડ હોસ્‍પિટલથી વિનોબાભાવે સિવિલ હોસ્‍પીટલમાં સારવાર માટે લાવવામાઆવી હતી.
મોડી સાંજે 8:30 વાગ્‍યાના સુમારે અમિતસિંહ એની પત્‍ની માટે સામરવરણીમાં રહેતા એમના સગાના ઘરેથી ટિફિન લેવા ગયો હતો, તે સમયે પરત હોસ્‍પિટલ પર એની બાઈક નંબર ડીડી-01-બી-7714પર આવતી વખતે સામરવરણી નજીક જ કોઈ અજાણ્‍યા વાહનચાલકે ટક્કર મારતા નીચે પટકાતા એના પેટ પરથી ટાયર ફરી વળતા એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્‍થળ પર પહોંચી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઇ પીએમ માટે સિવિલ હોસ્‍પીટલમાં લઇ જવામા આવી હતી. મળેલ માહિતી મુજબ અમિતસિંહ મૂળ રહેવાસી યુપી કાનપુરનો છે અને અહીં લેબર કોન્‍ટ્રાકટર પાસે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Related posts

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર કેસમાં પોલીસને મળેલી ઐતિહાસિક સફળતા બાદ જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલાએ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક માટે 24 કલાક માટે શરૂ કરાયો ઈલેક્‍શન કંટ્રોલ રૂમ

vartmanpravah

..તો પછી ક્‍યાંથી લાવશો મહિલા નેતૃત્‍વ..? દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જાહેર કરેલ 30 મંડળોના અધ્‍યક્ષોમાં એક પણ મહિલા નથી..!

vartmanpravah

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ સલવાવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment