Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

શતાબ્‍દી એકસપ્રેસ ગાંધીનગર સુધી જશે તેમજ ઉમરગામ-મહેસાણા નવી ટ્રેન શરૂ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વાપી-ઉમરગામ વિસ્‍તારમાં વસતા ઉત્તર ગુજરાત વિસ્‍તારના મુસાફરો માટે વધુ નવી બે ટ્રેન સેવા કાર્યરત છે. જેમાં શતાબ્‍દી સુપરફાસ્‍ટને ગાંધીનગર સુધી દોડાવવામાં આવશે તેમજ ઉમરગામ-મહેસાણા નવી ટ્રેન કાર્યરત થનાર છે.
વાપી-ઉમરગામ-સરીગામના ઉદ્યોગપતિઓ અને અન્‍ય વ્‍યવસાયિકો માટે વારંવાર ગાંધીનગર જવુ પડતું હોય છે. લાંબા સમયથી માંગ હતી કે શતાબ્‍દી સુપરફાસ્‍ટને ગાંધીનગર સુધી લંબાવવી જોઈએ. આ રજૂઆતને ધ્‍યાને લઈ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને રાજ્‍યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ (સુરત)એ શતાબ્‍દી ફાસ્‍ટ ટ્રેનને ગાંધીનગર સ્‍ટોપેજ મંજૂર કર્યું છે. જે આગામી ડિસેમ્‍બર તા.24થી ચાલુ થઈ જશે. બીજી વાપી વિસ્‍તારમાં વસતા મહેસાણા-પાટણ જિલ્લાના મુસાફરો માટે ઉમરગામથી મહેસાણા વિશેષ ટ્રેન શરૂ થનાર છે. જે તા.04 જાન્‍યુઆરીથી 16 જાન્‍યુઆરી દરમિયાન ટ્રાયલ ટ્રેન છે.
ઉમરગામથીદરરોજ 5:50 વાગે ઉપડશે અને રાત્રે 2:40 કલાકે મહેસાણા પહોંચશે. જ્‍યારે મહેસાણાથી બપોરે 4:30 કલાકે ઉપડશે અને રાત્રે 1:30 વાગે ઉમરગામ પહોંચશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, આણંદ, નડીયાદ, અમદાવાદ અને ગાંધીનગર બન્ને દિશામાં ઉભી રહેશે.

Related posts

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

vartmanpravah

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

Leave a Comment