Vartman Pravah
Breaking Newsદમણ

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

દમણ જિલ્લા પ્રમુખ અસ્‍પી દમણિયાએ દમણની સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્‍સિપાલને ભેટ આપેલુ અટલ બિહારી વાજપેયીનું ‘જનનાયક અટલજી’ પુસ્‍તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23
ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સુશાસન દિવસ નિમિત્તે અટલ બિહારી વાજપેયી વિશે વકતળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા માર્ચા દ્વારા આજે સવારે 10.30 કલાકે નાની દમણ સાર્વજનિક શાળામાં સુશાસન દિવસ નિમિત્તે સ્‍વ. અટલ બિહારી વાજપેયી વિષય પર વકતળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં શાળાનાવિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ શાળાના આચાર્ય શ્રી સોલંકીને સ્‍વ.અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર લખવામાં આવેલું પુસ્‍તક ‘જનનાયક અટલજી’ ભેટ આપી અનુરોધ કર્યો હતો કે આ પુસ્‍તકને પોતાની લાયબ્રેરીમાં રાખે, સાથે સાથે વિદ્યાર્થીઓને અટલજીના જીવન પરનું પુસ્‍તક વાંચીને તેમના વિચારોને જીવનમાં ઉતારવા પણ અનુરોધ કર્યો હતો. જેથી અટલજીનું ચરિત્ર અને દેશ પ્રત્‍યેની તેમની અપાર નિષ્‍ઠા વિદ્યાર્થીઓના જીવનમાં બદલાવ લાવી શકે.
આ અવસરે મહામંત્રી શ્રી વાસુભાઈ પટેલ, ભાજપ દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ ન.પા. પ્રમુખ અને નેશનલ એક્‍સએસીટીવ મેંમ્‍બર મહિલા મોર્ચા શ્રી સોનલબેન પટેલ, દમણ નગર પાલિકા કાઉન્‍સિલર શ્રી જસવિન્‍દર કૌર, પ્રદેશ મહિલા મોર્ચાના મહામંત્રી દિપાલી શાહ, સ્‍કૂલના આચાર્ય શ્રી સોલંકી, શિક્ષિકા રેણુકા, સ્‍કૂલના વિદ્યાર્થીઓ અને વાઈસ પ્રેસિડેન્‍ટ વિજેતા શર્મા, ખજાનચી શ્રી અમિતા દેસાઈ, જોઈન્‍ટ ખજાનચી તૃપ્તી પટેલ, ભાજપ પ્રદેશ મહિલા મોર્ચાના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

વલસાડ જિલ્લાા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અક્ષસ્થાાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment