September 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે પોષણ કીટ વિતરણ તેમજ આરોગ્‍ય મોબાઈલ વાનનું લોકાર્પણ કરાયું

વલસાડઃ તા.૨૯ : વલસાડ જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી આંબેડકર ભવન, વલસાડ ખાતે કરવામાં આવી હતી. જેમાં આઇ.સી.ડી.એસ.ના લાભાર્થીઓને તેમજ કાર્યકરોને મહાનુભાવોના હસ્‍તે પોષણ કીટ વિતરણ કરવા ઉપરાંત કપરાડા અને ધરમપુર તાલુકાની બે આરોગ્‍ય મોબાઈલ વાન (મોબાઈલ હેલ્‍થ યુનિટ)નું લોકાર્પણ કરવામાં આવ્‍યું. પોષણ કીટમાં અમુલ ઘી, દેશી ચણા, મગ, તુવેર દાળ, ગોળ, શીંગ દાણાનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

આ અવસરે ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે આરોગ્‍ય અને પોષણની સેવા બાબતે જરૂરી માર્ગદર્શન આપી રાજ્‍ય સરકારે આરોગ્‍ય ક્ષેત્રે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં મહિલા બાળ યુવા પ્રવૃતિ સમિતિના અધ્‍યક્ષ રંજનબેન પટેલ, આઇસીડીએસના જિલ્લા પ્રોગ્રામ અધિકારી જ્‍યોત્‍સનાબેન પટેલ, મુખ્‍ય આરોગ્‍ય અધિકારી અનિલભાઇ પટેલ, આરસીએચઓ, વલસાડ તેમજ જિલ્લાના તમામ બાળ વિકાસ યોજના અધિકારીઓ, વલસાડ તાલુકાના મુખ્‍ય સેવિકા, આંગણવાડી કાર્યકરો અને સગર્ભા, ધાત્રી બહેનો હાજર રહયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સુત્ર સંચાલન પારડી-૨ના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

દમણ પોલીસે ભેંસલોર ખાતેની બંધ પીસીએલ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સામેલ અન્‍યએકને ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment