Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે ચૌપાલમાં કરાયેલો આગ્રહ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31
દાદરા નગર હવેલીની અલગ અલગ પંચાયતો નરોલી, ગલોન્‍ડા અને કૌંચા ગામમા ગ્રામજનો માટે રાત્રી ચૌપાલનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેનો ઉદેશ્‍ય સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021 જે 26મી જાન્‍યુઆરી 2022થી કેન્‍દ્રશાસિત પ્રદેશમા લાગુ કરવામા આવશે.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ,નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ,પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ,ખતરનાક ઉપવિષ્ટ,બાયો મેડીકલ વેસ્‍ટ,કન્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી.
પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપ અંગે પણજાણકારી આપવામા આવી હતી. આ સાથે સૂચનાત્‍મક પેમ્‍ફલેટ પણ વિતરણ કરવામા આવ્‍યા હતા. જેમાં બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી.
ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે આગ્રહ કરવામા આવ્‍યો હતો. સાથે સાથે રાત્રિ ચૌપાલમાં સરપંચને સૂચિત કરવામા આવેલ કે 26મી જાન્‍યુઆરી સુધી સાપ્તાહિક આ પ્રકારની રાત્રિ ચૌપાલનુ આયોજન કરવામા આવે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ-2021 અંગે જાગળત કરી શકાય અને ઉપનિયામ અને સ્‍વચ્‍છતાને જનભાગીદારી આંદોલન બનાવી શકાય.

Related posts

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

Leave a Comment