Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ શરૂ કરેલું અભિયાન:ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા હાથ ધરાનારા પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય સામે પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ નૈતૃત્‍વ લઈ તેના રચનાત્‍મક અને લોકશાહી ઢબે વિરોધ માટેનો તખ્‍તો વિશાળ જનહિતમાં પોતાનું દાયિત્‍વ સમજીને તૈયાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વરિષ્‍ઠ પત્રકાર શ્રી પ્રદિપ ભાવસાર,અસલીઆઝાદી દૈનિકના તંત્રી શ્રી વિજયભાઈ ભટ્ટ, સવેરા ઈન્‍ડિયા ટાઈમ્‍સના તંત્રી શ્રી સતિષભાઈ શર્મા અને વર્તમાન પ્રવાહના તંત્રી શ્રી મુકેશ ગોસાવી દ્વારા પ્રદેશના વિદ્યુત વિભાગના થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કરવા મજબૂત જનમત તૈયાર કરવાનો પણ નિર્ણય લીધો છે.
અત્રે યાદ રહે કે, સવેરા ઈન્‍ડિયા ટાઈમ્‍સના તંત્રી શ્રી સતિષ શર્માએ મુંબઈ હાઈકોર્ટમાં વિદ્યુત વિભાગના ખાનગીકરણના મુદ્દે દાયર કરેલ જનહિત યાચિકાની સુનાવણી સુપ્રિમ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે.
સંઘપ્રદેશના ચાર વરિષ્‍ઠ પત્રકારો દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગને ખાનગી હાથોમાં જતુ બચાવવા શરૂ કરાયેલા પ્રયાસોમાં આમ જનતાના સહકારની પણ અપેક્ષા વ્‍યક્‍ત કરી છે.કારણ કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિદ્યુત સંબંધી અત્‍યાર સુધી કોઈ સમસ્‍યા નથી. સમગ્ર દેશમાં સસ્‍તામાં સસ્‍તી વિજળી મળવાની સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિદ્યુત વિભાગ દર વર્ષે મબલખ નફો પણ રળી રહ્યું છે ત્‍યારે, પ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરવું હિતાવહ નહીં હોવાનું દેખાય છે તેથી ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા પણ પ્રયાસો હાથ ધરાયા છે.

Related posts

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં આવેલ દુકાનમાં ચોરી અને અન્‍ફ બે ફલેટમાં ચોરીનો થયેલો પ્રયાસ

vartmanpravah

સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્‍ડ

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશ કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનમાં અવ્‍વલ : દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ અંતર્ગત 250 કર્મચારીઓની 40 ટીમો કાર્યરત

vartmanpravah

Leave a Comment