Vartman Pravah
Breaking Newsદમણ

પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યના જન્‍મદિવસ નિમિત્તે ઉદવાડા ટાઉન પી.પી.મિષાી હાઈસ્‍કૂલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

શાળાના બાળકોને પેન, પેન્‍સિલ, રબર, શાર્પનર, અને ચોકલેટનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07
આજરોજ વૈદિક ડેન્‍ટલ કોલેજના પ્રમુખ પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યના જન્‍મદિવસ નિમિત્તે ઉદવાડા ટાઉન ખાતે આવેલ પી.પી.મિષાી હાઈસ્‍કૂલ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પદ્મશ્રી વૈશ્‍યએ પણ આ સ્‍કૂલમાં ધો.11 સુધી અભ્‍યાસ કર્યો હતો.
પ્રદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍યએ જણાવ્‍યું હતું કે, મને આ શાળામાંથી શિક્ષણ, સંસ્‍કૃતિ અને વર્તન જેવી દરેક વસ્‍તુ પ્રાપ્ત થઈ છે. તેથી આજે હું અહી ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરી કેટલીક વસ્‍તુઓ પરત કરી રહ્યો છું. જેમાં 131 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી અને સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, હું આ શાળાના ચેરમેન શ્રી ભવંત પટેલ અને શાળાના મેનેજમેન્‍ટનોઆભાર માનું છું.
આ અવસરે વૈદિક ડેન્‍ટલ કોલેજના ડીન અને સ્‍ટાફ અને ટીચિંગ ફેકેલ્‍ટી દ્વારા કેક કટીંગ સેરેમનીનું આયોજન કરી પદ્મશ્રી ડો. વૈશ્‍યને તેમના 75માં જન્‍મ દિવસ નિમિત્તે, સ્‍વસ્‍થ અને લાંબા આયુષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી. શાળાના બાળકોને પેન, પેન્‍સિલ, રબર, શાર્પનર, અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
અંતે ડો. એસ.એસ.વૈશ્‍યએ કોવિડ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઈ કાર્યક્રમનું ટૂકમાં સમાપન કરી દરેકને સેનિટાઈઝર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સનું પાલન કરવાની સલાહ આપી હતી.

Related posts

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા વિભાગ દ્વારા પ્રદેશમાં તમ્‍બાકુના નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે થનારા પ્રયાસો

vartmanpravah

‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે નેહરુ યુવા કેન્‍દ્ર, દમણ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્‍ડમાં રમત-ગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

Leave a Comment