Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

પ્રત્‍યેક વર્ષે ઉત્તરાયણમાં પતંગના દોરાથી વિંધાતા સેંકડો પક્ષીઓને ઉગારી સેવા સૃશૃષા અને સારવાર કરવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
ઉત્તરાયણનું પર્વ દસ્‍તક કરી રહ્યું છે ત્‍યારે આ પર્વેમાં પતંગ ઉડાવવાનો મહિમા યુગોથી સંકળાયેલો છે એમુજબ ઉત્તરાયણે લોકો ધાબા-આગાશીમાં ચઢીને પતંગ ઉડાવવાની મજા માણે છે. પરંતુ એ મજા આકાશમાં વિહંગતા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. પતંગના દોરાથી અસંખ્‍ય પંખીઓ વિંધાય છે, ઘાયલ થાય છે ત્‍યારે તેવા પક્ષીઓ વ્‍હારે સમાજસેવી સંસ્‍થાઓ પ્રત્‍યેક ઉત્તરાયણમાં આગળ આવે છે અને કરુણા અભિયાન ચલાવે છે. તેવી સેવા વાપી-વલસાડમાં કાર્યરત થઈ છે.
વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર અને સામાજીક વનીકરણ વિભાગ તથા સમાજ સેવી સંસ્‍થાઓ દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કર્યો છે. ઉત્તરાયણના દિવસે સવારથી સાંજ સુધી ઘાયલ પક્ષીની સારવાર વલસાડ જીવદયા ગૃપ 93755 28101, રેસક્‍યુ ફાઉન્‍ડશેન 90335 61108, પશુ દવાખાનું વલસાડ 63595 66495, વાપી તાલુકા માટે ફ્રેન્‍ડ ઓફ એનિમલ 76985 39949, વર્ધમાન સેવા મંડળ ગુંજન વાપી, 98241 37970, પોલીસ સમન્‍વય ગૃપ વાપી 99985 08813, ઉમરગામ-72038 83639, ભીલાડ-99748 02021, કપરાડા-નાનાપોંઢા-99137 12999, કીલ્લા પારડી-94280 22798, પારનેરા-94290 31175 નંબરો ઉપર ઘાયલ પક્ષીની સારવાર માટે ફોન કરવા જણાવાયું છે.

Related posts

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

Leave a Comment