અંડરગ્રાઉન્ડ કેબલ યોજનાની મંજુરી બદલ એસોસિએશનએ માનેલો આભાર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16
સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ આજે વાપી ખાતે નાણાં-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની જન સંપર્ક કાર્યાલયમાં મુલાકાત લીધી હતી. સરકાર તરફથી સરીગામ વસાહતમાં ભૂમિગત કેબલ યોજનાની મંજુરી આપવા બદલ એસ.આઈ.એ. સભ્યોએ આભાર માન્યો હતો.
ઊર્જા-નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વાપી જમીન સંપર્ક કાર્યાલયમાં સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અગ્રણીઓ ખાસ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સરીગામ બે કિ.મી. બાપયાસ રોડની દુર્દશા અને મંત્રીશ્રીને જાણ કરવામાં આવી હતીઅને રોડ જલ્દી બને તેની માંગ કરી હતી. ભૂમિગત કેબલના નિર્ણયને એસ.આઈ.એ. આવકાર આપી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો.
આ અવસરે શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી સજ્જન મુરારકા, શ્રી નિર્મલ દુધાની, સચિવ શ્રી શમીમ રિઝવી, કોષાધ્યક્ષ શ્રી કિશોર ગજેરા, શ્રી બી.કે.દાયમા, શ્રી કૌશિક પટેલ, શ્રી નિતિન ઓઝા, પૂર્વ પ્રમુખ શ્રી શિરિષભાઈ દેસાઈ સહિત ઉદ્યોગપતિઓ નાણાં-ઉર્જા મંત્રીની મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.