Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

પોલીસ ધરપકડથી દુર એવા આ ઈસમો વિરુદ્ધ પહેલેથી જ આ પ્રકારનો નિણર્ય અંગે શંકાકુશંકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19
ગઈકાલે પારડી તાલુકાના મોટાવાઘછીપા ખાતે વ્‍યવસાયે વકીલ અને નોટરી એવા અમિતભાઈ ઠાકોરભાઈ પટેલનાઓ પોતાના તબેલાથી પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન પારસી ફળિયા ખાતે રસ્‍તા પર પાણી વહી રહ્યું હોય આ બાબતની જાણ તેઓએ લીલાબેનને કરતા બાજુમાં રહેતા ત્રણ જેટલા ઈસમોએ એમને ઢીક્કા મુક્કીનો મારમારી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમને સારવાર માટેપારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવની જાણ પારડી વકીલ મંડળની થતા મોટી સંખ્‍યામાં વકીલ મિત્રો પારડી પોલીસ સ્‍ટેશન ખાતે જમા થતા હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી.
પરંતુ આટલેથી જ વાત ન અટકતા વકીલોની મર્યાદા માન-સન્‍માન અને હોદ્દાને ઠેસ પહોંચે એવું કાર્ય સામેવાળા ત્રણ જેટલા ઈસમોએ કર્યું છે. આ ત્રણેય ઈસમોના જામીનદાર કે એમને છોડાવવા માટે વકીલ તરીકે પારડી તાલુકાના કોઈપણ વકીલે તેમનો કેસ પોતાના પાસે લેવો નહીં, આ અંગેનો એક ઠરાવ પારડી વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્‍યો હતો. જો બનાવની ગંભીરતા જોઈ અન્‍ય તાલુકા કે જિલ્લાના વકીલો પણ પારડી વકીલ મંડળના ઠરાવને અનુસરી આ ત્રણેય આરોપી એવા ઈસમોની સાથે ન રહે અને એમને સાથ સહકાર ન આપતા એમનો કેસ ન લડે તો એમનું છૂટવું મુશ્‍કેલ થશે અને અન્‍યો માથાભારે ઈસમો પણ આ બનાવનો સબક લઈ હવેથી વકીલ જેવા પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓ પર વિના કારણે હુમલો કરતાં સો વાર વિચારશે.પરંતુ અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જો ખરેખર આ બનાવમાં વકીલ મિત્ર સાચો હોય તો દરેક વકીલ મિત્રોએ એમને સાથ આપવો જોઈએ
પરંતુ દરેક કિસ્‍સામાં એવું હોતું નથી કેટલીય વાર પોતાની ભૂલ હોવા છતાંપોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને ખોટો બનાવ ઉભો કરી ખોટી રીતે પોતાના વ્‍યવસાયની આડમાં સૌ સાથે મળી જઈ કોઈ નિર્દોષને સજા કરાવવા. જો આ રીતનો ખોટો ઠરાવ કરી લોકોમાં ખોટો હાવ ઉભો કરી છટકી જવાની કોશિશ કરશે, તો સરકાર પણ આ મુદ્દાને ધ્‍યાને લઇ વધુ કાર્યવાહી હાથ ધરશે એમાં કોઈ બેમત નથી.

Related posts

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

ધરમપુરમાં 35 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ મંદિરે ચૈત્રી નવરાત્રિ પર્વે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

ઉમરસાડી મર્ડરના આરોપીની ધરપકડ બબાલ કરી વતન ભાગી ગયેલ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment