Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24
વાઘછીપા ખાતે તારીખ 17-01-2020ના રોજ રસ્‍તામાં પાણી છોડવા બાબતે મારામારી થતા વ્‍યવસાયે વકીલ એવા અમિતભાઈ ઠાકોરભાઈ પટેલે ત્રણ જેટલા વ્‍યક્‍તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને સમગ્ર પારડી વકીલ મંડળ એક થઈ આ ત્રણેય વ્‍યક્‍તિ સામે કોઈએ પણ કેસ નહી લડવાનો ઠરાવ પણ કરવામાં આવ્‍યા હતો. પરંતુ વાઘછીપાના જ રેખાબેન રસિકભાઈ ઢોળીયા પટેલે ગઈકાલે વકીલ અમિત સામે એક્રોસીટીની ફરિયાદ નોંધાવતા આ મારામારીના કેસમાં એક નવી જ હકીકત સામે આવી આ કેસમાં એક નવો જ વળાંક આવ્‍યો છે
રેખાબેને પોતાની ફરિયાદમાં અમિત વકીલ આજથી ત્રણ વર્ષ અગાઉ જ્‍યારે વાઘછીપામાં આવેલ સહકારી દૂધ મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત હતા ત્‍યારે મારા નામ પર લોન લઈ મને ગાય ખરીદવા માટે જણાવ્‍યું હતું. પરંતુ ફરીયાદીએ ના કહેતા અને આ બાબતે પારડી પોલીસ સ્‍ટેશન ખાતે તેમના વિરોધ અરજી પણ કરવામાં આવતા આ ઝઘડાની અદાવત રાખી ગમે ત્‍યાં મારા છોકરા વિકીને ઉભા રાખી માર મારવાની ધમકી આપતો હતો.
તારીખ 17-1-2020ના રોજ રેખાબેનના ઘરની બાજુમાં અમિતની વાડી આવેલી હોય આ વાડીમાં તેઓ પોતાનાકૂતરાને લઈ આવ્‍યા હતા. વાડી નજીક જ રેખાબેનના કોઢારમાં તેમની સાસુમાને જોઈ કૂતરો ભસવા લાગતા સાસુ કાંતાબેન પડી ગયેલ અને એમના શરીરે છાણ લગતા તેઓ ધોવા માટે બાજુમાં આવેલ સરકારી હેન્‍ડપંપ પાસે ગયેલ આ દરમિયાન વકીલ અમિતે આ હેન્‍ડપંપ મેં બનાવેલ છે તમારા જેવા ધોળીયા-દુબરાઓ એ અહીં રસ્‍તામાં પાણી નાખવું નહીં એવું જાતિ વિશે જાહેરમાં ગાળાગાળી કરતા છોકરો વિકી અને સાસુ કાંતાબેન એમને સમજાવવા ગયેલા અને ઝઘડો થતા અમિતે વીકીને ગળામાં પકડતા વિકીની ચેન તૂટી ગયેલ અને અમિતને ધક્કો લાગતા તેઓ નીચે પડી જતા ઈંટના ટુકડા માથામાં વાગતા લોહી નીકળેલ.
આ દરમ્‍યાન રેખાબેનની છોકરી પાયલ અને જમાઈ કિરણ આવી પહોંચતા અમિતે પ્રેગનેંટ પાયલને પણ જમણા હાથની આંગળીમાં કરડેલ અને ઝઘડો વધે તે પહેલા ફળિયાના 10 થી 15 વ્‍યક્‍તિઓ આવી જતા વધુ મારામારીથી છોડાવ્‍યા હતા. મારા છોકરો, જમાઈ વિગેરે હાજર થતા અને ફરિયાદમાં મારું નામ નહી હોય ઘરના સભ્‍યો તથા ફળિયાના લોકો સાથે ચર્ચા કરી આજરોજ હું ફરિયાદ નોંધાવું છું.
જોકે ફરિયાદી અને વ્‍યવસાય એ વકીલ સામે જ એક્રોસીટીની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

Leave a Comment