(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24
વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ શિવસેના કાર્યાલયમાં રક્તદાન શિબિર, નિઃશુલ્ક આંખ તપાસ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિવસેના સ્થાપક અને હિન્દુ સમ્રાટ બાળા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે વાપી શિવસેના દ્વારા ભડકમોરા કાર્યાલય ખાતે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. રક્તદાન કેમ્પની સાથે સાથે ફ્રી સર્વરોગ નિદાન અને આંખ તપાસ કેમ્પનું પણ આયોજન કર્યું હતું. જેના સેંકડો લોકોએ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વાપીમાં શિવસેના પ્રતિવર્ષે બાળા સાહેબની જન્મ જયંતિએ રક્તદાન કેમ્પનું આયોજન કરી ઉજવણી કરે છે તેવુ શિવસેના પ્રમુખ શ્રી રાજુભાઈ માનુએ જણાવ્યું હતું. આ પ્રસંગે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી પણ કાર્યકરોએ કરી હતી.
Previous post