April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીદેશ

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

અનુસૂચી અંતર્ગત પંચાયત અને ગામમાં સરપંચને જાણ કરવા વગર સ્‍થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્‍ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે નહી

 
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.01
નવસારી જિલ્લાના ચીખલીના તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5નો ઠરાવનું થયું અમલીકરણ અનુસૂચિ 5 વિસ્‍તારમાં આ કાયદાનું ઉલ્લઘન કરશે તો કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ પોલીસ પટેલ તરીકે પંકજ પટેલની નિમુણુંક કરવામાં આવી છે. ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઠરાવ કરી ગામમાં અનુસૂચિ-5નું બોર્ડ ગામ લોકો દ્વારા લગાવી તેના અમલીકરણ માટે ગ્રામજનોએ સંકલ્‍પ લીધો હોવાના દ્રશ્‍યો સામે આવ્‍યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ સાદડવેલ ગામમાં ગ્રામ સભામાં ઠરાવ કરી ગામમાં 5 અનુસૂચિનું બોર્ડ લગાવીતેનું અમલીકરણ કાર્યું છે આ અનુસૂચી અંતર્ગત ગામમાં સરપંચને જાણ કર્યા બાદ જ સ્‍થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્‍ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે. તેમજ ડીજીવીસીએલનું ચેકીંગ વાળા પણ જાણ કર્યા પછી જ ગામમાં પ્રવેશ કરી શકશે. 
આ ઉપરાંત ઠરાવોમાં બિરસા મુંડા સ્‍થાપના માટે જગ્‍યાનો ઠરાવ, આધુનિક સ્‍મશાનનો ઠરાવ,ગામમાં કંપની કે ફેક્‍ટરીમાં 80ટકા ગામના લોકોનો સમાવેશ, તળાવો ઊંડા કરવા ,રસ્‍તા પાણી વગેરે ઠરાવો, કેરોસીન ફરીથી ગામ લોકોને મળે તેનો ઠરાવ, ગામનો સ્‍થાનિક ખેડૂત સિવાય જમીન લે વેચ કરે તો 1 ટકા રકમ લેનાર અને વેચનાર પંચાયતમાં લોક ફાળો આપવાનું નક્કી થયું હતું.

Related posts

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

vartmanpravah

વલસાડ મણીરત્‍ન હાઉસમાં ઓછા કેરેટના ઘરેણા પધરાવી નવુ સોનું લઈ જનાર ટોળકીના 6 ઝડપાયા

vartmanpravah

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

vartmanpravah

માંડા પંચાયત કચેરીએ સરપંચ સંગીતાબેન ઠાકરીયાના હસ્‍તે કરવામાં આવેલું ધ્‍વજ વંદન

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

Leave a Comment