April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

સંઘપ્રદેશ પ્રભારી નવિન પટેલ અને સંયોજક અસ્‍પી દમણિયાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા’બાબતના સંબોધનને લાઈવ સાંભળવા દમણમાં ચાર સ્‍થળોએ કરાયેલું આયોજન

કોવિડ-19 અટકાયતી પગલાં સંબંધી સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ તથા માસ્‍ક પહેરવાના સરકારના નિયમોના ધજાગરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
આજરોજ તારીખ 2જી ફેબ્રુઆરી 2022ના રોજ દિલ્‍હીથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન કર્યુ હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આત્‍મનિર્ભર અર્થતંત્રના સંબોધનને સાંભળવાનો કાર્યક્રમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી શ્રીનવીનભાઈ પટેલ અને દમણ જિલ્લા સંયોજક શ્રી અસ્‍પી દમણિયાની આગેવાની હેઠળ દમણ જિલ્લામાં ચાર અલગ-અલગ સ્‍થળોએ યોજાયો હતો. દુણેઠા મંડળમાં ડયુન્‍સ રેસીડેન્‍સી, શહેર મંડળમાં કાટેલા પાર્ટી પ્‍લોટ, સોમનાથ મંડળમાં ડીઆઈએ કચેરી સોમનાથ અને ભેસલોરમાં રાખવામાં આવ્‍યો હતો. જેમાં તમામ મંડળોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને લાઈવ સાંભળ્‍યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આત્‍મનિર્ભર ભારત, રોજગાર, ખેડૂતો માટે સબસિડી વધારવામાં આવી, મહિલાઓને ઘરની માલિકીનો હક, નાર્થ-ઈસ્‍ટના વિકાસ ઉપર ભાર, ખાદ્ય તેલમાં આત્‍મનિર્ભર, પોસ્‍ટ ઓફિસમાં એટીએમની સુવિધા, ડિજિટલ યુનિવર્સિટી, પીએમ ઈ-વિદ્યા ચેનલ, ર લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરવી, કળષિ યુનિવર્સિટીનું વિસ્‍તરણ, 2023 સુધી સ્‍ટાર્ટઅપને ટેક્‍સમાં છૂટ, કોર્પોરેટ ટેક્‍સમાં હવે 7 ટકા સરચાર્જ, ઘણા ફાયદાકારક બજેટની માહિતી આપી હતી કે જેનાથી આમ જનતાને લાભ મળી શકે.

Related posts

દમણ પોલીસે વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીનો પોતાના પરિવાર સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

જિલ્લા શિક્ષણ અને પ્રશિક્ષણ સંસ્‍થા(ડાયટ) દમણ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત દમણ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે ‘નિષ્‍ઠા 3.0′ ઉપર યોજાયેલ એક દિવસીય રિફ્રેશર પ્રશિક્ષણ કાર્યક્રમ અને મૂલ્‍યાંકન

vartmanpravah

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

Leave a Comment