Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ માછી મહાજનની પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના જતન માટે રહેલી મહત્‍વની ભૂમિકા

દમણના સત્‍ય નારાયણ મંદિરના પ્રાંગણમાં યોજાઈ રહેલા પ1મા જ્ઞાનયજ્ઞ અંતર્ગત શ્રીમદ્‌ ભાગવત કથામાં સુપ્રસિદ્ધ કથાકાર વિપુલ કૃષ્‍ણ શાસ્રીએ સર્વોચ્‍ચ જીવન જીવવાની કળા ભાગવત શિખવાડતું હોવાના રજૂ કરેલા અનેક દાખલા-દૃષ્‍ટાંતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 07
દમણ જિલ્લા માછી સમાજના કુલગુરુ મહંત શ્રી ગોપાલદાસજીના માર્ગદર્શન અને સાંનિધ્‍યમાં ગત શનિવારથી સત્‍ય નારાયણ મંદિરના પ્રાંગણમાં 51મા જ્ઞાનયજ્ઞ અંતર્ગત શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણ જિલ્લા માછી સમાજની સુપ્રિમ સંસ્‍થા માછી મહાજનનો પ્રભાવ અને આદર સંપૂર્ણ પ્રદેશમાં પથરાયેલો છે. માછી સમાજ સહિત સમગ્ર પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના જતનમાં માછી મહાજન સંસ્‍થાની ભૂમિકા ખુબજ મહત્‍વની રહી છે. માછીસમાજનો એક મોટો હિસ્‍સો વિદેશ યુ.કે.માં સ્‍થાયી થયો હોવા છતાં દેશભક્‍તિ સાથે તેમને પોતાનો નાતો ટકાવી રાખ્‍યો છે અને દરેક ધાર્મિક અને દેશભક્‍તિના કાર્યક્રમો ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આજે ત્રીજા દિવસે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી વિપુલ કૃષ્‍ણ શાષાીએ જણાવ્‍યું હતું કે, જીવનની દરેક સમસ્‍યાનું સમાધાન ભાગવતથી મળે છે. તણાવપૂર્ણ જીવનમાં ભાગવત જ શાંતિ પ્રદાન કરે છે. શાંતિથી સુખ મળે છે અને અશાંતિ જીવનમાં દરિદ્રતા અને દુઃખ પેદા કરે છે. સર્વોચ્‍ચ જીવન જીવવાની કળા ભાગવત શિખવાડે છે. જો મનુષ્‍ય આ કથાને પોતાના નિર્મળ ભાવથી સાંભળે સત્‍ય અને ધર્મના માર્ગનું પાલન કરે તો તેમના માટે મુક્‍તિના દ્વાર ખુલવાનો સમય લાગતો નથી. ભાગવત કથા સાક્ષાત કૃષ્‍ણ છે અને શ્રી કૃષ્‍ણ સાક્ષાત ભાગવત છે.
સુપ્રસિદ્ધ કથાકાર શ્રી વિપુલ કૃષ્‍ણ શાષાીએ ભાગવત કથાના પઠન દરમિયાન વધુમાં જણાવ્‍યું હતું કે, દરેક વ્‍યકિતએ હંમેશા સત્‌કર્મ કરવું જોઈએ અને ગરીબ, અસહાય અને બેસહારા લોકોની મદદ કરવાનું ભાગવત શિખવે છે.હંમેશા સત્‍ય બોલવું જોઈએ, માતા-પિતા, ગુરુજનો સહિત દરેક સંત મહાપુરુષો અને મોટા લોકોનો આદર કરવો જોઈએ. તેમણે જણાવ્‍યું હતું કે, જ્‍યાં પણ ભાગવત કથાનું આયોજન થાય છે ત્‍યાં દેવી દેવતા પણ ઉપસ્‍થિત રહે છે.
ભાગવત કથાસાંભળવા માટે મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો જોડાયા હતા.

Related posts

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા મહિલાઓની સર્વગ્રાહી સંભાળ માટે હાઇપરટેન્‍શન અને માસિકષાાવ આરોગ્‍ય સત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને સનદી અધિકારીઓના વિભાગોમાં કરેલા ફેરફાર દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે રાહુલ દેવ બુરાઃ દીવના એસ.પી. તરીકે રાહુલ બાલહરાની નિયુક્‍તિ

vartmanpravah

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્‍યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને મહત્‍વપૂર્ણ બેઠક મળી

vartmanpravah

Leave a Comment