April 20, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ કૉલેજમાં વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ કૉલેજ, દીવમાં તા.8 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રાચાર્ય શ્રી વિવેકકુમારના માર્ગદર્શન હેઠળ દીવ કૉલેજ અને ગુજરાતીનો અધ્‍યાપક સંઘનાં સંયુક્‍ત ઉપક્રમે વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા’નું આયોજન કરવામાં આવ્‍યું હતુ. આ વ્‍યાખ્‍યાનમાળા ગુજરાતી વિષયમાં અભ્‍યાસ કરતાં ત્રણ વર્ષનાં અભ્‍યાસક્રમની એક એક કળતિ પર વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં સાચાં સમણાં (પન્નાલાલ પટેલ) પર ડૉ. સુનીલ જાદવે, રાગાધીનમ (સંજુ વાળા) પર કવિ સ્‍વયં સંજુ વાળાએ અને સોમતીર્થ (રઘુવીર ચૌધરી) પર ડૉ. દલપત ચાવડાએ વ્‍યાખ્‍યાન આપ્‍યું હતું.
ગુજરાતીના તથા સાહિત્‍યમાં રસ ધરાવતા કૉલેજનાં અન્‍ય વિષયનાં વિદ્યાર્થીઓ પણ આ વ્‍યાખ્‍યાનમાળામાં સહર્ષ જોડાયા હતા. વિદ્યાર્થીઓની સાહિત્‍ય રુચિ કેળવાય તથા તેમને ગુજરાતીના અભ્‍યાસુ અને સંનિષ્ઠ વક્‍તાઓનો લાભ મળે તે માટે આ વ્‍યાખ્‍યાનમાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમનું સુચારું સંચાલન ગુજરાતીના પ્રાધ્‍યાપક ધરવ બારોટે કર્યું હતુ. અકાદમિક સમિતિના અધ્‍યક્ષ ડૉ. દિપક સૌંદરવા તથા પ્રા. સમર્થ ઓઝા દ્વારા આ કાર્યક્રમ વિશે પ્રતિભાવ આપવામાં આવ્‍યો હતો તથા ગુજરાતીના અધ્‍યાપિકા ડૉ. સુશીલા વાઘમશી દ્વારા દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી સલોની રાય, પ્રાચાર્ય શ્રી વિવેકકુમાર, વક્‍તાશ્રીઓ તથા તમામ અધ્‍યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો આભાર માનવામાં આવ્‍યો હતો.
આ વ્‍યાખ્‍યાનમાળાનું આયોજન ડૉ. સુશીલા વાઘમશી દ્વારા કરવામાં આવ્‍યું હતું, જેમાં અકાદમિક સમિતિના અધ્‍યક્ષ ડૉ. દિપક સૌદરવા પ્રા. ધરવ બારોટ, પ્રા. કોકિલા ડાભી, પ્રા. સમર્થ ઓઝા, પ્રા. દેવાંગભાઈ ભટ્ટ તથા શ્રી પ્રશાંત સોલંકીનો સક્રિય સહકાર પ્રાપ્ત થયોહતો.

Related posts

દીવના દગાચી ગામનીએક ખાણમાં સુકા ઘાસમાં લાગી આગ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે વિવિધ વરિષ્‍ઠ નેતાઓ સાથે કરેલી આત્‍મિય મુલાકાત

vartmanpravah

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરી ગામે મુદિયા તળાવ વિસ્‍તારમાંથી દીપડીના ત્રણ બચ્‍ચાં મળી આવ્‍યા

vartmanpravah

Leave a Comment