Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
સેલવાસની સ્‍કાય હાઈટ્‍સ કોઓપરેટીવ સર્વિસ સોસાયટી લીમીટેડના સ્‍થાનિક રહીશો દ્વારા લિકર વાઈનશોપને બંધ કરવા માટે દાનહ કલેકટર શ્રી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમા જણાવ્‍યા અનુસાર સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી જે એકદંત સ્‍કવેર સામે રિંગરોડની બાજુમા આવેલ છે જ્‍યાં લિકર વાઇનશોપની દુકાન ખુલી છે.
આ પહેલા 23 ઓગસ્‍ટના રોજ આ જ વિષય પર આવેદન પત્ર આપવામા આવ્‍યું હતું. જેમા આશ્વાશન આપવામા આવ્‍યું હતું કે, ભવિષ્‍યમાં આ દુકાન નહિ ખુલશે, પરંતુ ફરી આ દુકાન ખુલી ગઈ છે. જે જિનલભાઈ નામના વ્‍યક્‍તિચલાવી રહ્યા છે. અમારી બાજુમા રાજેશ્રી ટાવર અને સામે એકદંત સ્‍કવેર છે જે રેસીડેન્‍શીયલ વિસ્‍તાર છે, જ્‍યાં એક મંદિર પણ સ્‍થિત છે.
દુકાનની પાછળ જ મંદિર છે અમારી આપને વિનંતી છે કે આ દુકાન હંમેશા માટે બંધ કરાવવામા આવે,અહી દરેક પરિવારવાળા રહે છે.આ વાઇનશોપનો બાળકો પર બુરી અસર થશે. એમનું ભવિષ્‍ય ખરાબ થઇ શકે એમ છે. જેથી સોસાયટીના રહીશો દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે આ દુકાન બંધ કરવામાં આવે.
આરડીસીએ પણ સોસાયટીના લોકોને બાંહેધરી આપી કે આ વાઇનશોપને ફક્‍ત બીજી જગ્‍યા પર સીફ્‌ટ કરવા માટે જણાવેલ હતું. સોસાયટીના લોકોએ કલેકટરશ્રી, પાલિકા ચીફ ઓફિસર અને પોલીસ અધિક્ષકશ્રીને પણ લેખિત રજૂઆત કરી છે.

Related posts

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરાયું

vartmanpravah

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

vartmanpravah

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment