April 18, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
સેલવાસની સ્‍કાય હાઈટ્‍સ કોઓપરેટીવ સર્વિસ સોસાયટી લીમીટેડના સ્‍થાનિક રહીશો દ્વારા લિકર વાઈનશોપને બંધ કરવા માટે દાનહ કલેકટર શ્રી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમા જણાવ્‍યા અનુસાર સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી જે એકદંત સ્‍કવેર સામે રિંગરોડની બાજુમા આવેલ છે જ્‍યાં લિકર વાઇનશોપની દુકાન ખુલી છે.
આ પહેલા 23 ઓગસ્‍ટના રોજ આ જ વિષય પર આવેદન પત્ર આપવામા આવ્‍યું હતું. જેમા આશ્વાશન આપવામા આવ્‍યું હતું કે, ભવિષ્‍યમાં આ દુકાન નહિ ખુલશે, પરંતુ ફરી આ દુકાન ખુલી ગઈ છે. જે જિનલભાઈ નામના વ્‍યક્‍તિચલાવી રહ્યા છે. અમારી બાજુમા રાજેશ્રી ટાવર અને સામે એકદંત સ્‍કવેર છે જે રેસીડેન્‍શીયલ વિસ્‍તાર છે, જ્‍યાં એક મંદિર પણ સ્‍થિત છે.
દુકાનની પાછળ જ મંદિર છે અમારી આપને વિનંતી છે કે આ દુકાન હંમેશા માટે બંધ કરાવવામા આવે,અહી દરેક પરિવારવાળા રહે છે.આ વાઇનશોપનો બાળકો પર બુરી અસર થશે. એમનું ભવિષ્‍ય ખરાબ થઇ શકે એમ છે. જેથી સોસાયટીના રહીશો દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે આ દુકાન બંધ કરવામાં આવે.
આરડીસીએ પણ સોસાયટીના લોકોને બાંહેધરી આપી કે આ વાઇનશોપને ફક્‍ત બીજી જગ્‍યા પર સીફ્‌ટ કરવા માટે જણાવેલ હતું. સોસાયટીના લોકોએ કલેકટરશ્રી, પાલિકા ચીફ ઓફિસર અને પોલીસ અધિક્ષકશ્રીને પણ લેખિત રજૂઆત કરી છે.

Related posts

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

‘સંકલ્‍પથી સિદ્ધિ’ માટે સમગ્ર દેશમાં દૃષ્‍ટાંતરૂપ બનેલો દાનહ અને દમણ-દીવ પ્રદેશ

vartmanpravah

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

Leave a Comment