(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.15
દીવ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાન રાખીને સાદગી પૂર્વક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જલારામ મંદિરને 27 વર્ષ પૂર્ણ કરી 28મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે જલારામ મંદિર ખાતે ભજન કીર્તન તથા પ્રસાદનું આયોજન કર્યું હતું, ભાવી ભક્તોએ ખૂબજ શ્રદ્ધાપૂર્વક પ્રસાદનો લાભ લઇને જલારામ બાપાના દર્શન તથા પૂજન કર્યું હતું.