બે સંતાનોના પિતા એવા ઘર જમાઈનો આર્થિક તંગીથી કંટાળી આપઘાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.06
મૂળ સુરતનો અને પારડી તાલુકાના મોટાવાઘછીપાના રોહિતવાસ ખાતે ઘર જમાઈ તરીકે રહેતો વિજયભાઈ નટુભાઈ બાવાજી ઉ.વ.38એ ગત બુધવારે બપોરે સાસરીના ઘરેલોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો જીવન ટૂંકાવ્યું હતું.
બનાવની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને નીચે ઉતારી સારવાર માટે ડોકટર બોલાવતા ડોક્ટરે વિજયભાઇને મળત જાહેર કર્યા હતા.
વિજયભાઈ ઘરમાં સૂતેલા હોય બપોરે 2થી 4ના સમયમાં ફાંસો ખાધો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.છેલ્લા કેટલાય સમયથી બેકાર એવા બે સંતાનોના પિતા વિજયભાઈ ને કોઈ કામ ધંધો નહી મળતા માનસિક તણાવમાં આવી આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું
પારડી પોલીસે લાશનો કબજો લઇ પારડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં પીએમ કરાવી વધુ તપાસ બીટ જમાદાર નીતિનભાઈ આહિરે હાથ ધરી છે.