September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૭ : દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા હાલમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્ના છે. જેના કારણે શહેરી વિસ્તાર સાથે ગામડાઓમા જાગૃતિ જોવા મળી રહી છે ઍની સામે નરોલી પંચાયતમા પંચાયત કર્મચારીઓ દ્વારા ગટરો નાળાઓની સફાઈ ચાલી રહી છે ઍની સામે નરોલી ગામમાં મોટી સંખ્યામા માર્બલના ઍકમો જોવા મળે છે તેઓ દ્વારા માર્બલ ઘસ્યા બાદ જે પાવડર નીકળે છે ઍ ઍમની કંપનીથી થોડે દુર ખુલ્લેઆમ ટ્રકમા ભરી ખાલી કરી જાય છે.
આ સફેદ પાવડરના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને પણ તકલીફ પડે છે અને આ પાવડર ચોમાસા દરમ્યાન નજીકના બોર અને નદી નાળામા ભળી જાય છે જેને કારણે હાલમા પીવાના પાણીમા પણ ઍની અસર જોવા મળી રહી છે પાણી ઍકદમ ચીકણાશ વાળુ આવતુ હોવાનું સ્થાનિકો ફરિયાદ કરી રહ્ના છે. સ્થાનિક પ્રશાનસ અને પંચાયત દ્વારા આવા ઘનકચરો ફેંકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે ઍવી સ્થાનિકોની માંગ છે.

Related posts

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

ઉમરગામ પાલિકાના લાપરવહી કારભારના પરિણામે વધેલુ પ્રદૂષણ

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપરથી ‘આપ’ના ઝંડા-તોરણ ઉતરી ગયા

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

Leave a Comment