Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20
સંઘપ્રદેશ દીવ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહી છત્રપતિ શિવાજી મહારાજ તથા માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીની છબી પાસે દીપ પ્રાગટય કરી પુષ્‍પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
કાર્યક્રમનું આયોજન દીવ જીલ્લા બીજેપી પ્રમુખ શ્રી બિપિન શાહના માર્ગદર્શનમા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન બીજેપી શહેર પ્રમુખ શ્રી રાજુ દવે એ તેમના વક્‍તવ્‍યમાં છત્રપતિ શિવાજીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી, તેમના આદર્શો વિચારો તથા તેમનું ભારત પ્રત્‍યેનું સ્‍વપ્નુ જોયેલુ હતું તેને સાર્થક કરવા અને તેમના વિચારોનો અમલ કરવા ઉપસ્‍થિત લોકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જીજાબાઇનું હાલરડું પણ ગુનગુનાવી ઉપસ્‍થિત લોકો સમક્ષ રજુ કર્યું હતું તેમજ એમ.એસ. ગોલવલકર જે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકના બીજા પ્રચારક હતા તેમનો ઉદેશ્‍ય ભારત દેશના લોકોની સામાજિક સેવા કરવાનો હતો. ભાજપ કાર્યાલય ખાતે બંને મહાન વિભૂતિના જીવન ચરિત્ર વિશે કાર્યકર્તાઓએ માહિતી મેળવી અને પોતાના જીવનમાં આદર્શો ઉતારવા સંકલ્‍પ કરેલ અંતમાં કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામનો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા બદલ લોકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ પ્રસંગે દીવ જીલ્લાપંચાયત પ્રમુખ અમળતાબેન અમળતલાલ, પ્રદેશ મંત્રી અશ્વિનીબેન ભરત, હીનાબેન રતિલાલ, અનસુયાબેન, ચિંતન સોલંકી, ભરતભાઈ તથા યુવાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

vartmanpravah

દમણની જે.બી. ફાર્માસ્‍યુટિકલે મરવડની સરકારી શાળાને બુલેટીન બોર્ડ, વોટર એક્‍વાગાર્ડ, પોડિયમ, સ્‍પીકર સહિતની આપેલી ભેટ

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

Leave a Comment