April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

મુંબઈ-ઈન્‍દોર જતી એક્‍સપ્રેસ ટ્રેનના કોચ એસ-3માં ધુમાડો દેખાતા ટ્રેનને ડુંગરી નજીક થોભાવી મરામત બાદ રવાના કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વલસાડ સ્‍ટેશનને શનિવારે મોડી રાતે રાબેતા મુજબ બરોડા એક્‍સપ્રેસ ટ્રેન રવાના બાદ કુંડી ફાટકમેને ટ્રેનના ડબ્‍બામાંથી ધુમાડા નિકળતા જોતા તુરંત ડુંગરી સ્‍ટેશન માસ્‍ટરને જાણ કરી હતી. ટ્રેનને ડુંગરી થોભાવી દેવાઈ હતી. વલસાડથી આવેલ ટેક્‍નીકલ સ્‍ટાફે મરામર કરી એક કલાક બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. ડબ્‍બા નીચેના પૈડાના લાઈનર જામ થઈ જતા ધુમાડો શરૂ થયો હતો. ફાટકમેનની સમય સૂચકતા આધિન મોટી દુર્ઘટના થતા પહેલા ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે મોડી રાત્રે મુંબઈથી ઉપડેલી ઈન્‍દરો જતી બરોડો એક્‍સપ્રેસ ટ્રેન વલસાડ સ્‍ટેશને થોભી હતી. ત્‍યારબાદ ટ્રેન રાબેતા મુજબ રવાના થઈ હતી. થોડાક સમય બાદ કુંડી ફાટક મેન ક્રોસ કરી હતી ત્‍યારે ફાટકમેને ટ્રેનના એક ડબ્‍બા નીચેધુમાડા આવતા જોયા, તુરંત ડુંગરી રેલ્‍વે માસ્‍ટરને તેણે જાણ કરી દેતા ટ્રેન અટકાવી દેવાઈ હતી. ડુંગરી સ્‍ટેશન માસ્‍ટર ઈમરજન્‍સીની જાણ વલસાડ સ્‍ટેશને કરી દેતા તુરંત રેલ્‍વે અધિકારીઓ ટેક્‍નીકલ સ્‍ટાફ સાથે દુર્ઘટના યાન રવાના થઈ હતી. ડુંગરી સ્‍ટેશન ઉપર ટ્રેનને ચેક કરતા પૈડાના લાઈનર જામ થઈ રહ્યા હતા. તેથી ધુમાડો આવતો હતો. એક કલાકની મરામત બાદ ટ્રેન રવાના થઈ હતી. દરમિયાન બરોડા તરફ જતો ટ્રેન વહેવાહ એક કલાક ખોરવાયો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

ઘેજ બીડના અગ્રણી ખેડૂત ચેતનભાઈ પટેલ શેરડીના પાકમાં ડ્રિપ ઇરીગેશન દ્વારા સૌથી વધુ શેરડીના ઉત્‍પાદન માટે રાજ્‍ય સરકારના મંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્‍યું

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

દીવ વણાંકબારા કોસ્‍ટલ પોલીસે દારૂ સાથે એક વ્‍યકિતની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતોની કચેરીઓ જર્જરિત બનતા લાંબા સમયથી કચેરીનો કારભાર અન્‍ય મકાનોમાં ચલાવવાની નોબત

vartmanpravah

Leave a Comment