March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપર

જિલ્લા પંચાયતના માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર ઍન.ઍમ.પટેલના જણાવ્યાનુસાર ડામર રોડના કામ કરતા કોઈ ઈજારદારો છેલ્લા બે માસથી ટેન્ડર ભરતા નથી, હાલમાં ઘણાં ટેન્ડરો નીકળ્યા છે પરંતુ ઍકપણ માર્ગનું ટેન્ડર ભરાયું નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.10
ચીખલી સહિત જિલ્લાભરના રોડ કોન્‍ટ્રાક્‍ટરો એસઓઆર સુધારવા સહિતની વિવિધ માંગણી સાથે હડતાળ ઉપર ઉતરી ટેન્‍ડરો નહી ભરતા રૂા.113 કરોડથી વધુના વિકાસના કમાઓ ખોરંભે પડવા પામ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા લાંબા સમયથી રોડ કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા ડામરની ખરીદી, લોખંડની ખરીદી તેમજ એસઓઆર સુધારવા, સેન્‍ટરની પોલીસી કોન્‍ટ્રાક્‍ટરોને મળે,11-મહિનાની ટાઈમ લિમિટ છે.એમ સ્‍ટાર રેટ મળે સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે.2013 ના વર્ષનાએસઓરઆર જે છે તે જ ચાલી રહ્યા છે. છેલ્લા નવ વર્ષથી એસઓઆર બદલાયા નથી અને કેટલીક વસ્‍તુઓના ભાવ તો 2013ના એસઓઆર કરતા ઓછા દર્શાવાયા છે. જેને લઈને કોન્‍ટ્રાક્‍ટરો ને પરવડે તેમ ન હોવાથી આ અંગે કોન્‍ટ્રાક્‍ટરોના સંગઠન દ્વારા સરકારમાં અવાર નવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા છેલ્લા બે માસથી કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા હડતાળ ઉપર ઉતરી ટેન્‍ડરો ભરવામાં ન આવતા ચીખલી સહિત નવસારી જિલ્લામાં માર્ગ મકાન પંચાયત અને માર્ગ મકાન સ્‍ટેટ ના મળી કુલ 32 જેટલા ટેન્‍ડરો ન ભરવામાં આવતા 113 કરોડ રૂપિયાથી વધુના કામો ખોરંભે પડવા પામ્‍યા છે.જેને લઈને વિકાસના કામોને બ્રેક લાગવા સાથે અનેક ધંધા રોજગારને પણ અસર થવા પામી છે. આ સાથે રાજ્‍યભરમાં 3300 જેટલા ટેન્‍ડરો ન ભરાતા પાંચેક હજાર રૂપિયાના રોડ પુલના કામો ખોરંભે પડી જવા પામ્‍યા છે.
ત્‍યારે વિધાનસભાની સામી ચૂંટણીએ કોન્‍ટ્રાક્‍ટરોની માંગણીઓનો સુખદ ઉલેલ ન આવે તો સતાધારી પક્ષને પણ મોટું નુકશાન થઈ શકે તેવી સ્‍થિતિ વચ્‍ચે ઝડપથી નિરાકરણ આવે તો વિકાસની ગાડી ગતિ પકડે તેમ છે.

જિલ્લા પંચાયતના માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર એન.એમ.પટેલના જણાવ્‍યાનુસાર ડામર રોડના કામ કરતા કોઈ ઇજારદારો છેલ્લા બે માસથી ટેન્‍ડરભરતા નથી.હાલે ઘણા ટેન્‍ડરો નીકળ્‍યા છે.પરંતુ એક પણ માર્ગનું ટેન્‍ડર ભરાયું નથી.

Related posts

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment