દમણની માછી મહાજન બી.એડ. કોલેજના નિવૃત્ત પ્રાધ્યપક ડો. દિપીકાબેન મહેતાએ શાળાની વિદ્યાર્થીનીઓને જીવન કૌશલ્યો વિકસાવવા રસાળ અને સરળ ભાષામાં આપેલી સમજૂતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.ર1
કચીગામ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર તા.21/03/2022ના રોજ શાળાની વિદ્યાર્થીનીઓ માટે જીવન કૌશલ્ય અંતર્ગત સ્વજાગળતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ વ્યાખ્યાતા તરીકે દમણની માછી મહાજન બી.એડ. કોલેજના નિવળત પ્રોફેસર ડો. દિપીકાબેન મહેતા હાજર રહી શાળાની વિદ્યાર્થીનીઓને જીવન કૌશલ્યો કઈ રીતે વિકસાવવા એ બાબતે સમજૂતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી અશ્વિન આર. પટેલ, બેટી સુરક્ષા-બેટી શિક્ષા કાર્યક્રમના ચેરમેન શ્રીમતી દેવલબેન પટેલ, વાઇસ ચેરમેન શ્રીમતીવંદના પટેલ તથા શાળાના તમામ શિક્ષકમિત્રોનો વિશેષ ફાળો રહ્યો હતો.