Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડસેલવાસ

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્‍ટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
સમગ્ર દેશમાં અગામી તા.31મી મેના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સિમલા હિમાચલ પ્રદેશથી લાભાર્થીઓથી સાથે થનાર સીધા સંવાદના વર્ચ્‍યુઅલ કાર્યક્રમ યોજાનાર છે. જેના અનુસંધાનમાં સંઘપ્રદેશ પ્રશાસને પણ દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે જિલ્લા સ્‍તરે એક સમાંતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણઉપસ્‍થિત રહેશે એવું ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવ સિંઘ રાજાવતે જણાવ્‍યું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થીઓની સંખ્‍યા વસતીના પ્રમાણમાં સૌથી વધુ છે. જેમાં વૃદ્ધ, વિધવા અને દિવ્‍યાંગ પેન્‍શનના લાભાર્થીઓ, શહેરી અને ગ્રામણી આવાસ યોજના, સ્‍વચ્‍છ ભારત મિશન, પ્રધાનમંત્રી સ્‍વનિધિ, ગરીબ કલ્‍યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, જલજીવન મિશન યોજના સહિતની વિવિધ યોજનાઓ ખુબ જ અસરકારક રીતે કાર્યાન્‍વિત થઈ રહી છે. ત્‍યારે તા.31મી મેના મંગળવારે પ્રદેશના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર પણ પ્રશાસનને મળશે.

Related posts

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 30 વર્ષમાં કયા આદિવાસી પરિવારે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ?

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

…તો દમણ અને દીવની મુક્‍તિની માત્ર યાદો જ બાકી રહેશે

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment