March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

જિલ્લાના 5 તાલુકાઓમાં 27.60 કરોડના રસ્‍તાઓનું લોકાર્પણ અને 51.84 કરોડના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ખાતે તા.10મી જૂને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંભવિત કાર્યક્રમમાં પ્રજાલક્ષી વિકાસના કામો પૈકી 764.24 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ.200.58 કરોડના કામોનું ખાતમૂહુર્ત કરાશે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂા.79.44 કરોડના ખર્ચે 88 ગામોમાં 88 રસ્‍તાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે પૈકી રૂા. 27.60 કરોડના ખર્ચે બનેલા રસ્‍તાઓનું લોકાર્પણ અને રૂા. 51.84 કરોડના ખર્ચે બનનારા રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે. જેમાં વલસાડ તાલુકાના રૂા.41.16 કરોડના 30 રસ્‍તાઓનું ખાતમૂહર્ત અને રૂા.6.44 કરોડના 18 રસ્‍તાઓનું લોકાર્પણ, કપરાડા તાલુકાના રૂા.12.7 કરોડના 17 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત, ઉમરગામ તાલુકાના રૂા.4.6 કરોડના 2 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત અને રૂા.3.03 કરોડના 11 રસ્‍તાઓનું લોકાર્પણ, પારડી તાલુકાના રૂા.8.1 કરોડના 8 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત અને ધરમપુર તાલુકાના રૂા.3.38 કરોડના 2 રસ્‍તાઓનું લોકાર્પણનો સમાવશે થાય છે.

Related posts

હાઈવે ઓથોરીટી સામે આંદોલને વેગ પકડયો: પારનેરા હાઈવે ઉપર યુથ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં અન્‍ડર-16 હેન્‍ડબોલના ખેલાડીઓનું રવિવારે થનારૂં સિલેક્‍શનઃ રસ ધરાવતા ખેલાડીઓ ધ્‍યાન આપે

vartmanpravah

Leave a Comment