Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

જિલ્લાના 5 તાલુકાઓમાં 27.60 કરોડના રસ્‍તાઓનું લોકાર્પણ અને 51.84 કરોડના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ખાતે તા.10મી જૂને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંભવિત કાર્યક્રમમાં પ્રજાલક્ષી વિકાસના કામો પૈકી 764.24 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ.200.58 કરોડના કામોનું ખાતમૂહુર્ત કરાશે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂા.79.44 કરોડના ખર્ચે 88 ગામોમાં 88 રસ્‍તાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે પૈકી રૂા. 27.60 કરોડના ખર્ચે બનેલા રસ્‍તાઓનું લોકાર્પણ અને રૂા. 51.84 કરોડના ખર્ચે બનનારા રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે. જેમાં વલસાડ તાલુકાના રૂા.41.16 કરોડના 30 રસ્‍તાઓનું ખાતમૂહર્ત અને રૂા.6.44 કરોડના 18 રસ્‍તાઓનું લોકાર્પણ, કપરાડા તાલુકાના રૂા.12.7 કરોડના 17 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત, ઉમરગામ તાલુકાના રૂા.4.6 કરોડના 2 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત અને રૂા.3.03 કરોડના 11 રસ્‍તાઓનું લોકાર્પણ, પારડી તાલુકાના રૂા.8.1 કરોડના 8 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત અને ધરમપુર તાલુકાના રૂા.3.38 કરોડના 2 રસ્‍તાઓનું લોકાર્પણનો સમાવશે થાય છે.

Related posts

દમણ એરપોર્ટથી કાર્યક્રમ સ્‍થળ સુધી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના સન્‍માન માટે કાર્યકરોમાં જામેલી હોડ

vartmanpravah

દાદરા નગર હવેલીમા દોઢ ઈંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

Leave a Comment