જિલ્લાના 5 તાલુકાઓમાં 27.60 કરોડના રસ્તાઓનું લોકાર્પણ અને 51.84 કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ખાતે તા.10મી જૂને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંભવિત કાર્યક્રમમાં પ્રજાલક્ષી વિકાસના કામો પૈકી 764.24 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ.200.58 કરોડના કામોનું ખાતમૂહુર્ત કરાશે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂા.79.44 કરોડના ખર્ચે 88 ગામોમાં 88 રસ્તાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે પૈકી રૂા. 27.60 કરોડના ખર્ચે બનેલા રસ્તાઓનું લોકાર્પણ અને રૂા. 51.84 કરોડના ખર્ચે બનનારા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાશે. જેમાં વલસાડ તાલુકાના રૂા.41.16 કરોડના 30 રસ્તાઓનું ખાતમૂહર્ત અને રૂા.6.44 કરોડના 18 રસ્તાઓનું લોકાર્પણ, કપરાડા તાલુકાના રૂા.12.7 કરોડના 17 રસ્તાઓનું ખાતમૂહુર્ત, ઉમરગામ તાલુકાના રૂા.4.6 કરોડના 2 રસ્તાઓનું ખાતમૂહુર્ત અને રૂા.3.03 કરોડના 11 રસ્તાઓનું લોકાર્પણ, પારડી તાલુકાના રૂા.8.1 કરોડના 8 રસ્તાઓનું ખાતમૂહુર્ત અને ધરમપુર તાલુકાના રૂા.3.38 કરોડના 2 રસ્તાઓનું લોકાર્પણનો સમાવશે થાય છે.