April 24, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

જિલ્લાના 5 તાલુકાઓમાં 27.60 કરોડના રસ્‍તાઓનું લોકાર્પણ અને 51.84 કરોડના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ખાતે તા.10મી જૂને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંભવિત કાર્યક્રમમાં પ્રજાલક્ષી વિકાસના કામો પૈકી 764.24 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ.200.58 કરોડના કામોનું ખાતમૂહુર્ત કરાશે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂા.79.44 કરોડના ખર્ચે 88 ગામોમાં 88 રસ્‍તાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે પૈકી રૂા. 27.60 કરોડના ખર્ચે બનેલા રસ્‍તાઓનું લોકાર્પણ અને રૂા. 51.84 કરોડના ખર્ચે બનનારા રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે. જેમાં વલસાડ તાલુકાના રૂા.41.16 કરોડના 30 રસ્‍તાઓનું ખાતમૂહર્ત અને રૂા.6.44 કરોડના 18 રસ્‍તાઓનું લોકાર્પણ, કપરાડા તાલુકાના રૂા.12.7 કરોડના 17 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત, ઉમરગામ તાલુકાના રૂા.4.6 કરોડના 2 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત અને રૂા.3.03 કરોડના 11 રસ્‍તાઓનું લોકાર્પણ, પારડી તાલુકાના રૂા.8.1 કરોડના 8 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત અને ધરમપુર તાલુકાના રૂા.3.38 કરોડના 2 રસ્‍તાઓનું લોકાર્પણનો સમાવશે થાય છે.

Related posts

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત શુક્રવારે દમણ કૃષિ વિભાગ દ્વારા કચીગામના સરકારી કૃષિ ફાર્મમાં કૃષિ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment