December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
સેલવાસના વોર્ડ નંબર 15મા આમળી ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોનીમાં પાણીના કનેક્‍શન માટે ફોર્મ ભરી કનેક્‍શન આપવામાં આવેલ ત્‍યારબાદ 8મહિના પાણી આપી ફરી બંધ કરી દેવામાં આવેલ જે સંદર્ભે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ મુજબ અરજદાર નરેન્‍દ્ર ગોવિંદ ટેલર રહેવાસી આમળી ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોની જે વોર્ડ નંબર 15માં આવે છે જેમાં વર્ષ 2017માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી માટે કનેક્‍શનના ફોર્મ ભરેલ અને સાથે રકમ પણ ભરી દીધેલ અને કનેક્‍શન લીધેલ ત્‍યારબાદ 8 મહિના સુધી પાણી આપવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ અચાનક પાણી આપવાનું બંધ કરી દેતાં એ અંગે ઘણીવાર ઓનલાઇન ફરિયાદ પણ કરવામાં આવેલ ત્‍યારપછી બે દિવસ પાણી ચાલુ કરવામાં આવેલ બાદમાં ફરી બંધ કરી દેવામા આવતાં આ બાબતે જ્‍યારે પણ ફરિયાદ કરીએ છીએ તો આપના વિભાગના કર્મચારી હજી એક બે મહિના એવું જચાલશે એવો જવાબ આપે છે જેથી મને એવું લાગે છે કે અમારી સાથે કોઈ ખાનગી દુશ્‍મનાવટ કરતા હોય એવું લાગી રહેલ છે જેથી નરેન્‍દ્રભાઈએ ચીફ ઓફિસરને વિનંતી કરી છે લે અમારૂં જે પાણીનું કનેક્‍શન છે એને તાત્‍કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને અમને થઈ રહેલ અન્‍યાયનો યોગ્‍ય નિકાલ લાવવામાં આવે એમ જણાવાયું છે.

Related posts

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

કવાલ ખાતે કાપડી સમાજનો સ્‍નેહ મિલન સમારંભ યોજાયો: કુળદેવી હિંગળાજ માતાના મંદિરનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

Leave a Comment