Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
સેલવાસના વોર્ડ નંબર 15મા આમળી ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોનીમાં પાણીના કનેક્‍શન માટે ફોર્મ ભરી કનેક્‍શન આપવામાં આવેલ ત્‍યારબાદ 8મહિના પાણી આપી ફરી બંધ કરી દેવામાં આવેલ જે સંદર્ભે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ મુજબ અરજદાર નરેન્‍દ્ર ગોવિંદ ટેલર રહેવાસી આમળી ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોની જે વોર્ડ નંબર 15માં આવે છે જેમાં વર્ષ 2017માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી માટે કનેક્‍શનના ફોર્મ ભરેલ અને સાથે રકમ પણ ભરી દીધેલ અને કનેક્‍શન લીધેલ ત્‍યારબાદ 8 મહિના સુધી પાણી આપવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ અચાનક પાણી આપવાનું બંધ કરી દેતાં એ અંગે ઘણીવાર ઓનલાઇન ફરિયાદ પણ કરવામાં આવેલ ત્‍યારપછી બે દિવસ પાણી ચાલુ કરવામાં આવેલ બાદમાં ફરી બંધ કરી દેવામા આવતાં આ બાબતે જ્‍યારે પણ ફરિયાદ કરીએ છીએ તો આપના વિભાગના કર્મચારી હજી એક બે મહિના એવું જચાલશે એવો જવાબ આપે છે જેથી મને એવું લાગે છે કે અમારી સાથે કોઈ ખાનગી દુશ્‍મનાવટ કરતા હોય એવું લાગી રહેલ છે જેથી નરેન્‍દ્રભાઈએ ચીફ ઓફિસરને વિનંતી કરી છે લે અમારૂં જે પાણીનું કનેક્‍શન છે એને તાત્‍કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને અમને થઈ રહેલ અન્‍યાયનો યોગ્‍ય નિકાલ લાવવામાં આવે એમ જણાવાયું છે.

Related posts

દમણમાં પડેલા પહેલાં વરસાદથી સર્જાયેલી ઠંડકઃ વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોને હજુ રાહ જોવી પડશે

vartmanpravah

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment