Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

દાનહના કલેક્‍ટરનો હવાલો ભાનુ પ્રભા સંભાળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસને અગામી તા.18મી જુલાઈથી રિલીવ કરવાનો આદેશ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા જારી કરાયો છે. હવે દાદરા નગર હવેલીના કલેક્‍ટરની જવાબદારી શ્રીમતી ભાનુ પ્રભાને સુપ્રત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આઈ.એ.એસ. અધિકારી ડો. રાકેશ મિન્‍હાસની લક્ષદ્વીપ બદલીના આદેશ જારી કરાયા હતા. જેના અનુસંધાનમાં આજે સંઘપ્રદેશનાપ્રશાસકશ્રીના આદેશથી અગામી તા.18મી જુલાઈથી ડો. રાકેશ મિન્‍હાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાંથી રિલીવ કરવાનો આદેશ અપાયો છે.
અત્રે નોંધનીય છે કે, ડો. રાકેશ મિન્‍હાસે પોતાના કાર્યકાળ દરમિયાન દમણ અને દાદરા નગર હવેલીના કલેક્‍ટર તરીકે પોતાની ઉત્તમ ભૂમિકા ભજવી હતી અને પ્રશાસનના માર્ગદર્શન હેઠળ શ્રેષ્‍ઠ કામગીરી કરવા પોતાની કોશિષ જારી રાખી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

દમણના કરાટે માસ્‍ટર ડો શિહાન અગમ ચોનકર, પત્‍ની કલ્‍પના ચોનકર અને દિકરી ઈશ્વરી ચોનકરનું જીનીયસ ઈન્‍ડિયન એચીવર એવોર્ડ-ર0રરથી સન્‍માન કરાયું

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

Leave a Comment