October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

સમગ્ર જિલ્લામાં એકપણ અનિચ્‍છનીય બનાવ નોંધાયો નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લામાં આસ્‍થા અને ઉમંગ સાથે નવરાત્રી મહોત્‍સવ ચાલી રહ્યો છે. જે શાંતિપુર્ણ માહોલ વચ્‍ચે પુર્ણ થયો છે. જેનો સંપુર્ણ યશ વલસાડ જિલ્લા પોલીસનો છે. ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે સમગ્ર જિલ્લામાં નવરાત્રી દરમિયાન એક પણ અનિચ્‍છનીય બનાવ બન્‍યો નથી.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન 3 ડીવાયએસપી, 18 પી.આઈ., 30 પી.એસ.આઈ, 550 પોલીસ કર્મચારી, જી.આર.ડી.ના જવાનો સહિત એસ.આર.પી.ની બે ટુકડી સતત પેટ્રોલીંગ ઉપર રાઉન્‍ડ ધ ક્‍લોક રહી હતી. સુરત અને વડોદરામાં ઘટેલી નંદનીય ઘટનાઓને ધ્‍યાને રાખીને પોલીસને હાઈ એલર્ટ રખાઈ હતી. સતત પી.સી.આર. અને પોલીસના વાહનો પેટ્રોલીંગ પર રહ્યા હતા. દરરોજ 50 થી 100 જેટલા પીધેલાઓને ઝડપવામાં આવતા હતા. 1063જેટલા ઉપર કાર્યવાહી કરાઈ છે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ મહિલા પી.સી.આર. ફરજ ઉપર દોડતી રખાઈ હતી. ટ્રેડીશનલ ડ્રેસમાં મહિલા પોલીસ સી. ટીમ નવરાત્રી મહોત્‍સવમાં ઓન ડયુટી રહી છે. તેથી સમગ્ર જિલ્લામાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ છે.

Related posts

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વાપીમાં ગરબા ક્‍વીન ફાલ્‍ગુની પાઠકે પ્રિ-નવરાત્રીમાં ધૂમ મચાવી

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યભાઈ પટેલના નિવાસ સ્‍થાને જઈ ડીપીએલ સિઝન-રમાં ચેમ્‍પિયન બનેલી જે.ડી. કિંગ્‍સની ટીમે ચંચળબેન પટેલના લીધેલા આશિર્વાદ

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah

Leave a Comment