April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ: મરવડ ખાતે બની રહેલી મહત્‍વાકાંક્ષી હોસ્‍પિટલના બાંધકામમાં કોઈ કચાશ નહીં રહે તેની પ્રશાસકશ્રી દ્વારા રાખવામાં આવી રહેલી અંગત કાળજી 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પ્રશાસનિક અધિકારીઓની ટીમ સાથે બની રહેલી ભવ્‍ય મરવડ હોસ્‍પિટલના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્‍પિટલની પ્રોટેક્‍શન વોલ, રૂમ વગેરેની પ્રત્‍યક્ષ મુલાકાત લઈ બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, મરવડ ખાતે નવનિર્મિત હોસ્‍પિટલની તમામ મહત્‍વની રૂમોને સી-ફેસિંગ મળી રહે એ પ્રકારની આર્કિટેક્‍ચરલ વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. આ મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટને સમયમર્યાદામાં યોગ્‍ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના શ્રેષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે જ તેઓ ગઈકાલે જ લક્ષદ્વીપના કઠીન પ્રવાસથી પરત ફર્યા હોવા છતાં આજે કોઈપણ પ્રકારનો આરામ કર્યા વગર પોતાના મિશનને કામિયાબ કરવા માટે મરવડ હોસ્‍પિટલના નિરીક્ષણ માટે પણ નિકળી ગયા હતા. આ પ્રકારનીકાર્યનિષ્‍ઠા ભૂતકાળમાં ભાગ્‍યેજ કોઈ એકાદ પ્રશાસક પાસે હોવાની સંભાવના છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત દરમિયાન તેમની સાથે સલાહકાર શ્રી વિકાસ આનંદ, જાહેર બાંધકામ વિભાગના વિશેષ સચિવ શ્રી સૌરભ મિશ્રા તેમજ અન્‍ય પ્રશાસનિક અધિકારીઓ, એન્‍જિનિયરો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીનો વિદ્યાર્થી જેઈઈ પરીક્ષામાં વલસાડ જિલ્લામાં પ્રથમ ટોપ સ્‍કોરરબન્‍યો

vartmanpravah

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment